નર્મદા જીલ્લાના ગંગાપુર ખાતે જંગલની જમીનો ઉપર કબ્જો ધરાવતા આદિવાસીઓને જમીન અધિકાર પત્રો અપાયા

રાજપીપળા,(નર્મદા) આશિક પઠાણ :-

જિલ્લા પંચાયત પ્રમુખ પ્રયુષાબેન વસાવા એ અધિકાર પત્રોનું વિતરણ કર્યુ

જંગલમાં વસવાટ કરતા અને જમીનો ઉપર વર્ષો થી કબજો ધરાવતા આદિવાસીઓ ને જંગલ. ની જમીન ના માલિક બનાવવા માટે સરકાર કૃતનિશ્ચયી હોય નર્મદા જીલ્લા ના ગંગાપુર ખાતે જંગલ ની જમીનો ના અધિકાર પત્રો આદિવાસીઓને એનાયત કરવામાં આવ્યા હતા.

વન અધિકાર અધિનિયમ હેઠળ ડેડીયાપાડા તાલુકા ના ગંગાપુર ગામે અધિકાર પત્રોનું વિતરણ જીલ્લા પંચાયત ના પ્રમુખ શ્રીમતી પર્યુષાબેન વસાવા ની ઉપસ્થિત મા કરવામાં આવ્યુ હતુ જે પ્રસંગે જીલ્લા ભાજપ ના ઉપપ્રમુખ રણજીતભાઇ ટેલર, તાલુકા પંચાયત ના ઉપપ્રમુખ માધુસીગભાઈ, કનબુડી તાલુકા પંચાયત ના સદસ્ય એમનાબેન, ફોરેસ્ટ વિભાગ નાં કર્મચારીઓ, તલાટી વગેરે લોકો ની ઉપસ્થિતિ માં ૧૧૫ ઇસમો ને કે જેઓ જંગલ ની જમીનો ઉપર કબ્જો ધરાવતા હતાં તેમને સનદ નું વિતરણ કરવામાં આવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here