રાજપીપળા,(નર્મદા) આશિક પઠાણ :-
હેલ્થ કેર વર્કર, ફ્રન્ટલાઇન વર્કર અને 60 વર્ષ થી વધુની વય વાળા કોમોર્બિડ લાભાર્થીઓને કોવિડ-૧૯ વેકસીનેશનો પ્રિકોશન ડોઝ 10 જાન્યુઆરી થી અપાશે
જિલ્લા વિકાસ અધિકારી પી.ડી.પલસાણાના અધ્યક્ષપદે યોજાયેલી બેઠકમાં ઘડી કઢાયેલું સુચારૂં આયોજન
રાજ્યમાં ૧૫ થી ૧૮ વર્ષની વયજૂથના બાળકોનું કોવિડ-૧૯ વેકસીનેશન તા.૦૩ જી જાન્યુઆરી ૨૦૨૨ થી તેમજ હેલ્થ કેર વર્કર, ફ્રન્ટલાઇન વર્કર અને ૬૦+ કોમોર્બિડ લાભાર્થીઓને કોવિડ-૧૯ વેકસીનેશનો પ્રિકોશન ડોઝ તા.૧૦ જાન્યુઆરી, ૨૦૨૨ થી આપવાનું નક્કી થયેલ છે, જે અંતગર્ત ગઇકાલે નર્મદા જીલ્લા ખાતે જિલ્લા વિકાસ અઘિકારી પી.ડી.પલસાણાની અઘ્યક્ષતામાં જિલ્લા શિક્ષણાઘિકારી, નાયબ જિલ્લા વિકાસ અઘિકારી, નાયબ જિલ્લા પોલીસ અધિક્ષક, આશ્રમશાળા અઘિકારી, મુખ્ય જિલ્લા આરોગ્ય અઘિકારી, જિલ્લા અઘિક આરોગ્ય અઘિકારી તેમજ જિલ્લાના અન્ય અઘિકારીઓની ઉપસ્થિતિમાં યોજાયેલી બેઠકમાં ચર્ચા થયા મુજબ અત્રેના નર્મદા જીલ્લામાં ૧૫ થી ૧૮ વયજુથના કુલ-૨૭,૬૩૨ બાળકોને કોવિડ વેકસીનેશન કરવામાં આવશે. જેઓને પ્રથમ ડોઝ કો-વેકસીન આપવામાં આવશે અને તે અંગે શિક્ષણ તથા અન્ય વિભાગો સાથે સંકલન કરીને વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી.
અત્રે એ નોંધવુ જરૂરી છે કે, ૧૫ થી ૧૮ વર્ષની વયજૂથના બાળકોને માત્ર કોવિડ-૧૯ વેકસીન- કોવેકસિન જ આપવાની રહેશે જે વેકસીનની કોઇ આડ અસર જણાતી નથી. વર્ષ-૨૦૦૭ અને તેનાથી પહેલા જન્મેલા તમામ બાળકો કોવિડ ૧૯ વેકસીનેશન માટે પાત્રતા ધરાવે છે. HCW, FLWs અને ૬૦+ કોમોર્બિડ લાભાર્થીઓને તા.૧૦ મી જાન્યુઆરીથી પ્રિકોશન ડોઝ આપવામાં આવશે, લાભાર્થીઓને આપવામાં આવેલ બીજા ડોઝની તારીખથી ૦૯ મહિના (૩૯ અઠવાડીયા પૂર્ણ થયેથી) પ્રિકોશન ડોઝ આપવામાં આવશે. ૬૦+ કોમોર્બિડ લાભાર્થીઓ કે જેઓએ અગાઉ બંને ડોઝ લીઘા હોઇ, તેઓને ડોકટરની સલાહ મુજબ પ્રિકોશન ડોઝ આપવાનો રહેશે, જેના માટે કોઇ ડોકટરના સર્ટિફીકેટની જરૂરીયાત રહેતી નથી. પ્રિકોશન ડોઝ માટે લાભાર્થીની પાત્રતા Cowin સોફ્ટવેર મુજબ આપવામાં આવેલ બીજા ડોઝની તારીખ પરથી નક્કી કરવામાં આવશે. પ્રિકોશન ડોઝ માટે ડ્યુ લાભાર્થીને Cowin સિસ્ટમ આધારીત SMS ઘ્વારા જાણ કરવામાં આવશે નુ સત્તાવાર રીતે જાણવા મળેલ છે.