ગોધરા,(પંચમહાલ)
ઇશ્હાક રાંટા
જીઓ એપ તેમજ ફેસબુક પેજ પર પણ કાર્યક્રમ નિહાળી શકાશે
રાજ્યના મહિલા અને બાળ વિકાસ વિભાગ અંતર્ગત આઈસીડીએસની અનોખી પહેલ સંદર્ભે તા. ૨૭મી ઓક્ટોબર, ૨૦૨૦ના મંગળવારના રોજ બપોરે ૨:૦૦ થી ૩:૦૦ કલાકે ટી.વીના માધ્યમથી વંદે ગુજરાત ચેનલ-૧ પર અને મોબાઇલના માધ્યમથી જીઓ એપ મારફતે વંદે ગુજરાત ચેનલ-૧ પર તેમજ ફેસબુક WCD GUJARAT પેજ પર “કિશોરીઓમાં એનીમિયા અને તેને નિવારવાના ઉપાયો” વિષય પર માર્ગદર્શન પૂરું પાડવામાં આવનાર છે. ૧૧ થી ૧૮ વર્ષની કિશોરીઓને આ કાર્યક્રમનું જીવંત પ્રસારણ અચૂક નિહાળવા તેમજ જે દર્શક મિત્રો આ કાર્યક્રમના જીવંત પ્રસારણનો લાભ ન લઈ શક્યા હોય તેઓ WCD GUJARATની યુ ટ્યુબ ચેનલ પરથી કાર્યક્રમ નિહાળી શકશે તેમ, જિલ્લા આઈસીડીએસ વિભાગના પ્રોગ્રામ ઓફીસરની એક અખબારીયાદીમાં જણાવાયું છે.