છોટાઉદેપુર, સકીલ બલોચ :-
તા.૧૨/૦૨/૨૦૨૩ વાર- રવિવાર ના રોજ છોટા ઉદેપુર ખાતે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ની બાજુ માં એહમદભાઈ મહમદઅલી શેખ પ્રાઇવેટ મકાન નુ બાંઘકામ કામ દરમિયાન બાજુ માં જતી વીજ લાઈન (હાઈ વોલ્ટ) વીજ કરંટ લાગતા એક શ્રમિક નું અકસ્માતમાં મરણ પામેલ જેમાં છોટાઉદેપુર જિલ્લાના છોટાઉદેપુર તાલુકાના મલાજા ગામના રહેવાસી રાઠવા ચકીબેન તેરિયાભાઈ ઉં.વર્ષ-૨૭ અકસ્માતમાં મરણ પામેલ. *તા.૧૩/૦૨/૨૦૨૩ ના રોજ ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ, છોટાઉદેપુર દ્વારા આકસ્મિક મૃત્યુ સહાય યોજના હેઠળ ૩,૦૦,૦૦૦ ત્રણ લાખ રૂપિયા સહાય નો ત્વરિત લાભ મળે તે માટે સહાય માટેનું ફોર્મ આપવા માં આવેલ તથા મૃતક પરિવાર ને મદદરૂપ થવા અને સાંત્વના આપવા ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ, છોટાઉદપુર જિલ્લાના પ્રોજક્ટ મેનેજરશ્રી,સુભાસિંહ.આર.રાઠવા સ્થળ પર ગયેલ તથા જરૂરી આધાર પુરાવા એકત્ર કરવા માર્ગદર્શન આપવા માં આવેલ .