પાવીજેતપુર,(છોટાઉદેપુર) મુઝફ્ફર ધાબાવાલા :-
છોટાઉદેપુર જિલ્લા શિક્ષણાધિકારીશ્રી સુશ્રી ક્રિષ્ના પાચાણી ના મુખ્ય અતિથિ પદે ધો.10 અને 12 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ ના વાલીઓ ની ઉપસ્થિતિ માં આગામી 28મી થી શરૂ થનાર બોર્ડની જાહેર પરીક્ષા ને અનુલક્ષી ને ચિંતન શિબિર યોજવામાં આવ્યો હતો. જે પ્રસંગે શાળા માંથી વય મર્યાદાને લઈ નિવૃત થનાર બે કર્મચારીઓનો વિદાય સહ સન્માન સમારંભ પણ યોજાયો હતો.