છોટાઉદેપુર, સકીલ બલોચ :-
છોટાઉદેપુર નજીક આવેલ નાની દુમાલી ગામ પાસે આજરોજ લગભગ 5:30 થી 6:00 વાગ્યાની આસપાસ રેલવે ટ્રેક પાસે આવેલ જમીન ઉપર બે વ્યક્તિઓ ફંગોળાયેલી હાલતમાં પડી હતી. જેની જાણ ગામલોકો ને થતા સૌ દોડી આવ્યા હતા. પરંતુ તેમાંથી એક વ્યક્તિ ઇદુભાઈ રાઠડિયા ગામ જોબટ, જિલ્લો અલીરાજપુર મધ્યપ્રદેશ મૃત હાલતમાં મળી આવ્યા હતા જ્યારે બીજી વ્યક્તિ મેહતા મોર્ય ભારે ગંભીર હાલતમાં મળી આવ્યા હતા. છોટાઉદેપુર થી વડોદરા તરફ જતી ટ્રેન ની અડફેટે બંને વ્યક્તિઓ આવી ગઈ હોય જેથી આ બનાવ બન્યો હોવો જોઈએ તેમ ગામલોકોમાં ચર્ચાતું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે નવરાત્ર નિમિતે મધ્યપ્રદેશથી લાખો શ્રદ્ધાળુઓ છોટાઉદેપુર થઈ પાવાગઢ દર્શન અર્થે જતા હોય છે. જેમાં રસ્તામાં નાની દુમાલી ગામ પાસેથી બાઇક લઈ પાવાગઢ દર્શન અર્થે જતી મધ્યપ્રદેશ ની ત્રણ વ્યક્તિઓ રેલવે ટ્રેક પાસે થોડી વાર રોકાઈ હતી હતી. જે સમયે છોટાઉદેપુર થી વડોદરા તરફ જતા ટ્રેક પાસે જમીન ઉપર બે વ્યક્તિઓ મળી આવ્યા હતા. જેમાં એક ઇદુભાઈ રાઠડિયા ગામ જોબટ, જિલ્લો અલીરાજપુરનો મૃત દેહ મળી આવ્યો હતો. અને બીજી વ્યક્તિ મેહતા મોર્ય ભારે ગંભીર હાલતમાં મળી આવ્યા હતા.જેઓને છોટાઉદેપુર ખાનગી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડયા હતા. અને ત્રીજી વ્યક્તિનો આબાદ બચાવ થતો હતો. સમગ્ર ઘટના સંદર્ભે ટ્રેન ની ટકકરે આ બનાવ બન્યો હોય તેમ ગામ લોકોમાં ચર્ચાય રહ્યું છે. ઘટના સ્થળે ભારે અંધારું જેથી વધુ તપાસ ચાલુ છે તેમ સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું.