છોટાઉદેપુરના તેજગઢ ખાતે BJP ના પુરુષોત્તમ રૂપાળાએ કોંગ્રેસ પર શબ્દોના ધારદાર તીર છોડ્યા…

છોટાઉદેપુર, સકીલ બલોચ :-

છોટા ઉદેપુર વિધાનસભા બેઠક ની ચૂંટણી 5 ડિસેમ્બરે યોજાનાર છે ઉમેદવારી કરી રહેલા તમામ પક્ષો પ્રચાર પ્રસારમાં જોતરાઈ ગયા છે. આ બેઠક કોંગ્રેસ પાસેથી કબ્જે કરવા ભાજપ પૂરી તાકાત સાથે મેદાને પડ્યું છે આજ રોજ છોટા ઉદેપુર તાલુકાના તેજગઢ ખાતે કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલા એ જનસભા સંબોધી કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. કોંગ્રેસ ના સિનિયર નેતાઓ કોંગ્રેસ કેમ છોડી રહ્યાં છે તેનાં આક્ષેપો કરવાં કરતા પોતે જ મનોમંથન કરવું જોઈએ તેમ જણાવ્યું હતું અને ભાજપ નુ કમળ ખીલવવા અપીલ કરી હતી. સાંસદ ગીતાબેન રાઠવા, પુર્વ સાંસદ રામસિંહ રાઠવા એ આ બેઠક જ નહિ જીલ્લા ની ત્રણેય બેઠકો પર ભગવો લહેરાશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો. સભામાં મોટી સંખ્યામાં તેજગઢ તેમજ આસપાસના ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતાં.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here