છોટાઉદેપુરના જાગનાથ મહાદેવ મંદિર ખાતે ચારભુજા સેવા ટ્રસ્ટ દ્વારા કન્યા ભોજનું આયોજન કરાયું

છોટાઉદેપુર, સકીલ બલોચ :-

ચારભૂજા સેવા ટ્રસ્ટ છોટાઉદેપુર ગૌરી વ્રત કરતી બાળાઓને પારણાં કરાવવા નગરનાં જાગનાથ મહાદેવ મંદિર ખાતે કન્યા ભોજ નું આયોજન કરવામાં આવ્યું છે. પાંચ દિવસ ચાલેલા ગૌરી વ્રત ના અલુણા ઉપવાસ બાદ આજરોજ વ્રત પુર્ણ થતાં આજરોજ ચણા પૂરી તેમજ પુલાવ અને ફ્રૂટ ની વ્યવસ્થા ચારભૂજા સેવા ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી હતી. ૬૦૦ થી વધુ બાલિકા ઓ એ વ્રત ના પારણાં કરી પ્રસાદ ગ્રહણ કર્યો હતો. ચારભુજા સેવા ટ્રસ્ટ દ્વારા બાલિકા ઓને ફળિયે ફળિયે થી લાવવા લઈ જવા ની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. કાર્યક્રમને સફળ બનાવવા નગર ની ભજન મંડળ ની બહેનો દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી. ચણા પૂરી આરોગી પારણાં કરી બાળાઓ પ્રસન્ન જણાય રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here