છોટાઉદેપુરના ગુંગાવાડા બોકડ ફળીયામાં રહેતો વ્યક્તિ કંઈ પણ કહ્યા વગર જતો રહ્યા બાદ ગુમ

છોટાઉદેપુર, સકીલ બલોચ :-

છોટાઉદેપુર પોલીસ સ્ટેશનની એક અખબારી યાદીમાં જણાવ્યા મુજબ છોટાઉદેપુરણા ગુંગાવાડા બોકડ ફળીયામાં રહેતા ગોરધનભાઈ છોટીયાભાઈ રાઠવા ખેતીકામ સાથે સંકળાયેલા છે. તા.૨૩/૦૬/૨૦૨૪ ના રોજ બપોરના ૦૪-૦૦ કલાક આસપાસ તેઓનો પુત્ર ભારતભાઈ ગોરધનભાઈ રાઠવા ગુંગાવાડા ગામની સીમમાં આવેલ ખેતરેથી કંઈ પણ કહ્યા વગર જતા રહ્યા બાદ આજ પરત ન આવતા આજુ બાજુ તથા સંગા સંબંધીમાં શોધખોળ કરી હતી, જે બાદ પણ મળી આવેલ ન હોઈ છોટાઉદેપુર પોલીસ સ્ટેશનમાં જાણવા જોગ નોંધવામાં આવી છે.

ગુમ થનાર વ્યક્તિની ઉંમર આશરે ૨૭ વર્ષની છે. શરીરે મજબુત બાંધાના, રંગે ઘઉવર્ણા અને આશરે પાંચ ફુટ ઉંચાઈ છે. લાલ ભુરા કલરનો શર્ટ, ગ્રે કલરનું પેન્ટ અને પગમાં સ્લીપર પહેરેલ છે. આ વ્યક્તિ કોઈને મળી આવે તો ગોરધનભાઈ છોટીયાભાઈ રાઠવાનામો.નં. ૯૮૭૯૨૬૮૯૯૪, છો.ઉ.પો.સ્ટે.મો.નં. ૭૪૩૩૯૭૫૯૩૫ અને ત.ક.અ.મો.નં. ૮૧૪૧૫૭૨૯૨૯ પર સંપર્ક કરીને જાણ કરવા આ યાદીમાં વધુમાં જણાવાયું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here