નર્મદા જિલ્લામાં RTPCR ટેસ્ટમાં વધુ ૧ અને એન્ટીજન (રેપિડ) ટેસ્ટમાં ૧૧ સહિત ૧૨ પોઝિટિવ કેસ નોંધાયા

રાજપીપળા,(નર્મદા)
આશિક પઠાણ

જિલ્લામા આજદિન સુધી RTPCR ટેસ્ટમાં ૫૦૭, એન્ટીજન (રેપિડ) ટેસ્ટમાં ૩૨૯ અને ટ્રુ નેટ (True nat) ટેસ્ટમાં ૩૬ દર્દીઓ સહિત પોઝિટિવ દર્દીઓની કુલ સંખ્યા ૮૭૨ થઈ

રાજપીપલાની કોવિડ હોસ્પિટલ ખાતે આજની સ્થિતિએ ૧૬ દર્દીઓ, કોવીડ કેર સેન્ટર ખાતે ૨૬ દર્દીઓ અને સુરત ખાતે ૧, વડોદરા ખાતે ૨ દર્દીઓ તેમજ હોમ આઇસોલેશનમા ૧૫ દર્દીઓ સહિત કુલ-૬૦ દર્દીઓ સારવાર હેઠળ

જિલ્લામાં આરોગ્ય ટૂકડીઓ દ્વારા આજે ૫૩,૨૧૫ વ્યક્તિઓનું કરાયેલું ડોર-ટુ-ડોર સર્વેક્ષણ : ૭૮ જેટલા જરૂરીયાતવાળા દર્દીઓને અપાયેલી સારવાર

COVID-19 મહામારીને અનુલક્ષીને નર્મદા જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગના એપીડેમીક મેડિકલ ઓફિસરશ્રી ડૉ. આર.એસ. કશ્યપ તરફથી તા. ૨૧ મી સપ્ટેમ્બર, ૨૦૨૦ ના રોજ પ્રાપ્ત થયેલી જાણકારી મુજબ કોરોના વાયરસના જિલ્લામાં RTPCR ટેસ્ટમાં વધુ ૦૧ અને એન્ટીજન (રેપિડ) ટેસ્ટમાં ૧૧ સહિત કુલ-૧૨ પોઝિટિવ કેસ નોંધાયા છે. આમ, જિલ્લામાં આજદિન સુધી RTPCR ટેસ્ટમાં ૫૦૭ એન્ટીજન (રેપિડ) ટેસ્ટમાં ૩૨૯ અને ટ્રુ નેટ (True nat) ટેસ્ટમાં ૩૬ દર્દીઓ સહિત જિલ્લામા પોઝિટિવ દર્દીઓની કુલ સંખ્યા ૮૭૨ નોંધાવા પામી છે.

રાજપીપલાની કોવીડ હોસ્પિટલમાંથી ૭ દર્દીઅો અને કોવીડ કેર સેન્ટરમાંથી સાજા થયેલા ૬ દર્દીઓને આજે રજા અપાતા, જિલ્લામાં આજદિન સુધી કોવીડ હોસ્પિટલમાંથી સાજા થયેલા ૪૧૯ દર્દીઓ અને કોવીડ કેર સેન્ટરમાંથી સાજા થયેલા ૩૯૩ દર્દીઓ સહિત કુલ-૮૧૨ દર્દીઓને રજા આપવામાં આવી છે. આમ, સુરત ખાતે ૧, વડોદરા ખાતે ૨ દર્દીઓ અને હોમ આઇસોલેશનમા ૧૫ દર્દીઓ ઉપરાંત રાજપીપલાની કોવિડ હોસ્પિટલ ખાતે આજની સ્થિતિએ હવે ૧૬ દર્દીઓ અને કોવીડ કેર સેન્ટર ખાતે ૨૬ દર્દીઓ સહિત કુલ-૬૦ દર્દીઓ સારવાર હેઠળ છે.

RTPCR ટેસ્ટમાં ૨૮,ટ્રુ નેટ (True nat) ટેસ્ટના ૧ અને એન્ટીજન (રેપિડ) ટેસ્ટના ૪૫૭ સહિત કુલ-૪૮૬ ટેસ્ટ સેમ્પલ ચકાસણી માટે એકત્ર કરાયેલ છે.

પ્રાપ્ત થયેલ અહેવાલ મુજબ નર્મદા જિલ્લામાં તા.૨૧ મી સપ્ટેમ્બર, ૨૦૨૦ ના રોજ આરોગ્ય ટૂકડીઓ દ્વારા કુલ-૫૩,૨૧૫ વ્યક્તિઓનું ડોર-ટુ-ડોર સર્વે કરવામાં આવ્યું છે, જેમાં શરદી-ખાંસીના ૨૧ દર્દીઓ, તાવના ૨૧ દર્દીઓ, ઝાડાના ૩૬ દર્દીઓ સહિત કુલ-૭૮ જેટલા દર્દીઓ ઉકત ચકાસણી દરમિયાન મળી આવતાં આ દર્દીઓને જરૂરી સારવાર પુરી પાડવામાં આવી છે. તેની સાથોસાથ આયુર્વેદિક ઉકાળાનો આજદિન સુધી ૯,૬૮,૬૮૩ લોકોએ લાભ લીધો હતો અને હોમિયોપેથી રક્ષણાત્મક ઉપાય તરીકે આર્સેનિક આલ્બમ-૩૦ પોટેન્સી ગોળી ૭,૫૪,૨૪૧ લોકોને વિતરણ કરાઇ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here