કેવડીયા કોલોની,(નર્મદા) આશિક પઠાણ :-
શુલપાણેશ્વર મહાદેવ મંદિરમાં પૂજા અર્ચના કરી શીશ નમાવ્યું
નર્મદા જીલ્લા ની મુલાકાતે આવેલા કેન્દ્ર સરકાર ના વિદેશમંત્રી એસ. જયશંકરે સ્ટેચ્યુ ઑફ યુનિટી પાસે નિર્માણાધિન નર્મદા નદી કિનારે ના નવીન ઘાટ ની મુલાકાત કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી નર્મદા ઘાટ ના લોકાર્પણ અર્થે આવનાર હોય નવા ઘાટ અંગે માહિતી વિદેશ મંત્રી એ મેળવી હતી. અને ઘાટ ના નિર્માણ ને જોઈ પ્રભાવિત થયા હતા.
નવિન નર્મદા ઘાટની મુલાકાત દરમ્યાન આરતી અને ઘાટ અંગે souadtgaનાં ceo રવિશંકરે વિસ્તૃત માહિતી વિદેશમંત્રી ને આપી હતી.
આ પ્રસંગે જિલ્લા કલેકટર ડી.એ.શાહ,પોલીસ અધિક્ષક હિમકર સિંગ,અધિક કલેકટર સર્વશ્રી આર.ડી.ભટ્ટ,હિમાંશુ પરીખ, બી.કે.પટેલ, અધિક્ષક ઈજનેર ssnnl એમ.એલ.પટેલ, નાયબ કલેકટર નીલેશ દુબે, કુલદીપસિંહ વાળા હાજર રહ્યા હતા.