કાલોલ,(પંચમહાલ) ઇમરાન ખાન :-
કાલોલ શહેરમાં ગતરોજ મોડી રાત્રે નુરાની ચોક પ્રાંગણમાં હઝરત સૈયદ મોઇનુદ્દીન ચીસ્તી ખ્વાજા સાહેબનો અને હઝરત સૈયદ મોઇનબાબા (છોટે સરકાર) ના જન્મોત્સવ નિમિત્તે ખ્વાજા અજમેરી ફ્રેન્ડ સર્કલ દ્વારા આયોજીત નાતીયા પ્રોગ્રામ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં હઝરત સૈયદ મોઇનબાબા ના શાહબઝાદા પીરઝાદા સૈયદ અમીરબાબા ના અધ્યક્ષસ્થાને અને હઝરત સૈયદ કબીરબાબા ની પ્રેરક ઉપસ્થિતિમાં મુસ્લીમ ધર્મના બે ધર્મગુરુઓના જન્મોત્સવ ની હર્ષોલ્લાસથી ઉજવણી કરવામાં આવી હતી જેમાં હઝરત પીરઝાદા સૈયદ અમીરબાબા એ નાત અને મનકબતનું બહેતરીન અંદાજે વર્ણન કરીને ઇસ્ટેજ ઉપર હાજર કાલોલના તમામ આલીમો તેમજ હાફીઝો તથા હાજર લોકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા અંતે સલાતોસલામ અને દુવા પછી નીયાઝનું આયોજન કરવામાં આવ્યું હતું