કાલોલ ભાથીજી મંદિર પાસે રસ્તો રોકી આડેધડ રીતે લારીઓ મુકવામાં આવે છે પોલીસ દ્વારા સમયાંતરે કાર્યવાહી કરવામાં આવે છે તેમ છતાં કોઈ નક્કર કાર્યવાહી ને અભાવે અવારનવાર ટ્રાફીક ને અડચણ બનતી આ લારીઓ પુનઃ મુકી દેવામાં આવે છે કાલોલ પોલીસ દ્વારા સોમવારે કાલોલ બસ સ્ટેન્ડ પાસે
નાદિરશાહ બફાતીશાહ દીવાન રે ભડિયાડ પીર ની દરગાહ પાસે કાલોલ પોતાની લસણ ની લારી રસ્તા વચ્ચે ઉભી રાખી તેમજ સલીમ ઈસ્માઈલ શેખ ગધેડી ફળીયુ ભથીજી મંદીર નાં આગળ નાં ભાગે શાકભાજી ની લારી ઉભી રાખી તથા સોયેબ યુસુફ નાથા રે.ઘાંચીવાડ જુમ્મા મસ્જિદની સામે કાલોલ પોતાની શાકભાજી ની લારી રસ્તા વચ્ચે ઉભી રાખી રાહદારીઓ અને રસ્તે આવતા જતા વાહન ચાલકો ને અડચણરૂપ થાય તે રીતે મુકી દેતા કાલોલ પોલીસ દ્વારા ત્રણેવ લારી ધારકો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી ગુના દાખલ કરવામાં આવ્યા હતા.