કાલોલ, (પંચમહાલ) મુસ્તુફા મિર્ઝા :-
ગત તા ૦૪/૦૬ ના રોજ દેલોલ ખાતેથી મોટરસાયકલ ઉપર ગોધરા જઈ પરત આવતા ચાલક મનોજભાઈ રાઠોડ અને પાછળ બેસેલ હેમંત મનહરલાલ શાહ ની મોટરસાયકલ પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી જતા બેઢીયા ટોલ નાકા ની થોડેક આગળ સ્લીપ ખાઈ જતા બન્ને ઈસમો નીચે ફંગોળાઈ ગયા હતા જેના પરિણામે ચાલક મનોજભાઈ રાઠોડ ને શરીરે નાની મોટી થઈ હતી જ્યારે મોટરસાયકલ પાછળ બેસેલ હેમંતકુમાર મનહરભાઈ શાહ ને બોચી ના વાગ્યા માથાના જમણા ભાગે કાંડાના ભાગ અને શરીર નાની મોટી ઇજાઓ પહોંચી હતી તેમજ ગરદનના મણકા વાળા ભાગમાં થતા ઉભું થવાતું ન હતું અને ગરદનની નીચેનો ભાગ થઈ ગયો હતો અકસ્માત બાદ બીજા ગ્રસ્ત હેમંત શાહને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા જ્યાં પ્રાથમિક દવા સારવાર કર્યા બાદ વડોદરા એસએસજી હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવ્યા હતા જ્યાં દસ તારીખ ૦૮/૦૬ ના રોજ સારવાર દરમિયાન તેઓનું મરણ થતાં વેજલપુર પોલીસ મથકે મોટરસાયકલ ચાલક સામે રિંકેશભાઈ એસ શેઠ દ્વારા ફરીયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે મરણ જનાર હેમંતભાઈ કાલોલ ખાતે ભૂતકાળમાં વકીલાત પણ કરતા હતા.