કાલોલ તાલુકા ભાજપ યુવા મોરચા દ્વારા બાઇક સાથે રેલી કાઢવામાં આવી…

કાલોલ,(પંચમહાલ) મુસ્તુફા મીરઝા :-

આત્મનિર્ભર ભારત ના પ્રણેતા અને દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં સેવા સુશાસન અને ગરીબ કલ્યાણ ના આઠ વર્ષ પૂર્ણ થતા તે અંતર્ગત કાલોલ તાલુકાના ભાજપ યુવા સંગઠનનાં હોદ્દેદારો અને કાર્યકર્તાઓ દ્વારા રાજ્ય સરકારની વિવિધ યોજનાકીય અને સહાય આપતી ગ્રામ્ય વિસ્તારના પ્રજા માટેની યોજનાઓનો લાભ લેવાના પ્રત્યેક માનવી સુધી પહોંચે અને છેવાડાના એક પણ વ્યક્તિ આ યોજનાઓના લાભથી વંચિત ન રહે તેના પ્રચાર-પ્રસાર સાથે કાલોલ સર્કીટ હાઉસ ખાતેથી જીલ્લા ભાજપના ઉપાધ્યક્ષ ડો. યોગેશભાઇ પડ્યા,કાલોલ તાલુકા ભાજપ પ્રમુખ નરેન્દ્રસિંહ ગોહિલ, કાલોલ તાલુકા ભાજપ યુવા મોરચાના પ્રભારી પાર્થ કૌશિકભાઈ કનોજીયા,કાલોલ તાલુકા ભાજપ પ્રમુખ અજયસિંહ ચૌહાણ,ગુજરાત પ્રદેશ આમંત્રિત સભ્ય અને જીલ્લા પંચાયત પૂર્વ પ્રમુખ રાજપાલસિંહ જાદવ સહિત ભાજપ સંગઠનના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ ઉપસ્થિતિમાં બાઇક સાથે તિરંગા યાત્રાનો પ્રસ્થાન કરાવ્યું હતું જેમાં આરંભ થયેલ રેલી કાલોલ નગરના હાઇવે રોડ ઉપર પસાર થઈ ખડકી હનુમાન દાદાના મંદિરે પહોંચી હતી જ્યાં કાલોલ તાલુકાના ભાજપ પ્રમુખ નરેન્દ્રસિંહ ગોહિલ અને ગુજરાત આમંત્રિત સભ્ય રાજપાલસિંહ જાદવ પોતે બાઈક પર સવાર થઈ રેલીનું પ્રતિનિધિત્વ કર્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here