કાલોલ,(પંચમહાલ)
મુસ્તુફા મિરઝા
ગોધરાની કલેકટર ઓફિસમાં ટેકનિકલ એન્જિનિયર તરીકે ફરજ બજાવતા હિતેશભાઈ રમેશચંદ્ર પરમાર મૂળ રહેવાસી ભિલોડ તાલુકો ઘોઘંબા હાલ મંગલમૂર્તિ સોસાયટી આઈ ટી આઈ પાછળ કાલોલ કે જેઓ ગત તારીખ ૦૬/૧૦ ની રાત્રી એ પોતાના ઘરના ઓટલા ઉપર લોક કરી પોતાની બજાજ પલ્સર ૧૫૦ મોટરસાયકલ જેનો નંબર જીજે ૧૭ બીડી ૫૨૨૦ મૂકી હતી જે બીજે દિવસે સવારે જોવા મળતા તેઓએ આજુબાજુમાં તપાસ કરી પરંતુ ત્યારબાદ પણ મોટરસાયકલ મળી ન આવતા લોક તોડી કોઈક ઈસમો દ્વારા મોટરસાયકલ ચોરાઈ ગઈ હોવાનું જાણતા કાલોલ પોલીસ મથકે પોતાની ફરીયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા ઈસમો સામે મોટરસાયકલ ચોરીની ફરિયાદ દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.