કાલોલ, (પંચમહાલ) મુસ્તુફા મિર્ઝા :-
ઇસ્લામ ધર્મના સ્થાપક અને અલ્લાહના પયગંબર હજરત મોહમ્મદ પયગંબર સાહેબની જન્મજયંતિ વિશ્વભરમાં મુસ્લિમ સમુદાયમાં પવિત્ર ઈદેમિલાદ નિમિત્તે ધામધૂમથી ઉજવવામાં આવે છે. જે ઈદેમિલાદ પર્વ નિમિત્તે કાલોલ શહેરના મુસ્લીમ સમુદાયે પણ પોતાની મસ્જિદ, મદ્રેસા, મોહલ્લા, ચોક અને પોત પોતાના મકાનો પર રોશનીથી શણગારીને ઈદેમિલાદની પુર્વતૈયારીઓ કરી હતી.
અલ્લાહના રસૂલ હબીબ અને ઈસ્લામના રાહબર ગણાતા હજરત મોહંમદ પયગંબર સાહેબના જન્મદિનની ઉજવણી નિમિત્તે કાલોલ શહેર મુસ્લીમ બિરાદરોએ વહેલી સવારથી ફજરની ઇબાદત કરી મસ્જીદોમાં સલાતો સલામ અને દરૂદો પાકથી વાતાવરણને ઘાર્મિકતાના રંગે રંગી દીધુ હતુ અને બપોર પછી જોહરની નમાજ બાદ નુરાની ચોક સ્થિત જુમ્મા મસ્જીદથી રિફાઇ ગાદી અને અમીરે મિલ્લત મિલાદ કમેટીના નેતૃત્વમાં જશ્ને મિલાદુન નદી નો ભવ્ય જુલુશનું આયોજન કરવામાં આવ્યું હતું જે નુરાની ચોકથી નીકળી કાલોલ પોલીસ સ્ટેશન, હાઇવે બસ સ્ટેશનથી મેઈન બજારમાંથી પસાર થઈ નગર પાલીકા રહી જુલુસ નુરાની ચોકમાં પરત ફરી જુમ્મા મસ્જીદ ખાતે ખતીબો ઇમામ મોલાના હાફિસ ઉસ્માન અસરફી મૌલાના અબ્દુલ રસીદ દ્રારા મુસ્લીમ બિરાદરોએ હઝરત મોહંમદ પયગંબર સાહેબના મુએ મુબારકની જિયારત કરી દેશમાં અમન શાંતિ, સલામતી અને કોમી એકતા માટે ખાસ દુવાઓ અને મુબારકબાદ પાઠવી હતી.
કાલોલમાં ઈદેમિલાદ પર્વની શાંતીપૂર્ણ માહોલમાં જુલુસ યોજવા માટે કાલોલ ઇન્ચાર્જ પીએસઆઇ જે ડી તારલ અને ટાઉન જમાદાર ચંદનસિંહ સહિત પોલીસ સ્ટાફ સહિત એસ.આર.પી જવાનોએ ચુસ્ત બંદોબસ્ત સાથે શાંતિપૂર્ણ માહોલમાં ઉજવણી સંપન્ન કરવામાં આવી હતી.