કાલોલ, (પંચમહાલ) મુસ્તુફા મિર્ઝા :-
ગુજરાત વિધાનસભા ની ચુંટણી ની જાહેરાત ગુરુવારે ચુંટણી પંચ દ્વારા કરવામાં આવી અને આદર્શ આચાસંહિતાના પણ આજ દીવસ થી લાગુ પડી છે આચારસંહિતા પરિપત્ર ની કલમ ૧૦ મુજબ સરકારી સિદ્ધિઓ ની જાહેરાત જાહેર માધ્યમો દ્વારા કરી શકાય નહીં તો નિગમ ની એસ ટી બસો ઉપર મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી ની તસવીરો સાથે સરકારી સિદ્ધિઓ દર્શાવતી બસો બેરોકટોક કાલોલ નાં હાઇવે પર દોડતી જોવા મળે છે આ બસો ઉપર ની જાહેરાતો દુર કરવાની તસ્દી નિગમ ક્યારે લેશે ?