નસવાડી, (છોટાઉદેપુર) જાવેદ એન કુરેશી :-
બોડેલી તાલુકાના જબુગામ ગામે ભર બપોરે વીજ પુરવઠો ખોરવાતા આટલી કાળઝાળ ગરમીમાં લોકો હેરાન થયા હતા જેમા કેટલાક એટેક ના દર્દીઓ ગરમીના કારણે પરેશાન થયા હતા જેમા લાઈટો જતા કલાકો સુધી ન આવતા લોકો આટલી ગરમીમાં ઘરની બહાર આવી જતા કુતુહલ જોવા મળી હતી અને એમ જી વી સી એલ આ બાબતે ધ્યાન આપે એવી પ્રજાની માંગ ઉઠી છે અને આશરે લગભગ પાંચ થી છ કલાકે લાઈટો આવી હતી આવી કાળઝાળ ગરમીમાં એમ જી વી સી એલ પોતાની કામગીરી વહેલી તકે કરી વીજ પુરવઠો ન ખોરવાય અને બીમાર વ્યક્તિઓ હેરાન ન થાય તે ધ્યાને રાખી લાઈટો નો કાપ બપોરે ન મુકે અને રાત્રે કાપ મુકી પોતાનુ કાર્ય પુર્ણ કરે તેવી લોક ચર્ચાએ જબુગામ ગામે જોર પકડ્યૂ છે વધુમા જાણવા મળેલ કે આટલી ગરમી મા લાઈટો જતા જો કોઈ બીમાર વ્યક્તિ ને કઈ થાય તો જવાબદાર કોણ તેમ સ્થાનિક માણસો ચર્ચા કરી રહયા હતા જેથી વીજ પુરવઠો બપોર નાં સમયે ન ખોરવાય તેવી પ્રજાની માંગ ઉઠી છે.