લુણાવાડા,(મહીસાગર)
પ્રવાસી પ્રતિનિધિ
પ્રવર્તમાન સમયમાં સમસ્ત વિશ્વ સહીત ભારતદેશમાં પણ કોરોના વાયરસે આતાંક મચાવ્યો છે, જેને ધ્યાનમાં લઇ સરકારે લોકડાઉન અમલમાં મુક્યું હતું અને હાલ એ લોકડાઉનના ચાર તબક્કા પૂર્ણ થયા છે તેમછતાં દેશમાંથી કોરોનાનો કાળો કહેર દુર થતો નથી જેથી WHO ના માર્ગદર્શન મુજબ અને ભારત સરકારના નિર્દેશોને અનુશરીને સમગ્ર દેશમાં સામાજિક સંસ્થાઓ તેમજ રાજકીય સેવકો સહીત સ્વયં સેવકો માનવ શરીરમાં રોગ પ્રતિકારક શક્તિ વધારે એવા ઉપચારોનું મફત વિતરણ કરી રહ્યા છે, જેમાં હોમિયોપેથીક દવા અને ઉકાળા (કાવા) નું વિતરણ સૌથી વધુ કરવામાં આવી રહ્યું છે. જેને અનુરૂપ છેલ્લા કેટલાય દિવસોથી મહીસાગર જીલ્લાના મુખ્ય મથક એવા લુણાવાડા નગરમાં અનેક જગ્યાઓ પર ઉકાળાની વિના મુલ્યે વિતરણ કરવામાં આવી રહ્યું છે.
આજ રોજ માન.ધારાસભ્યશ્રી જીગ્નેશભાઈ સેવક સાહેબના માર્ગદર્શન હેઠળ લુણાવાડા શહેરના “હાટાનાં કુવા” વિસ્તારમાં આયુર્વેદિક ઉકાળો બનાવી વિતરણ કરવામાં આવ્યો હતો જે સમયે પાર્ટીના મહામંત્રી મુળજીકાકા, યુવામોર્ચાના મહામંત્રી જીગરભાઈ ઉપસ્થિત રહ્યા હતા અને મિહિરભાઈ,દિપભાઈ,હાર્દિકભાઈ વ્યવસ્થાનો ભાગ બન્યા હતા તેમજ આ સમગ્ર કાર્યક્રમનું સંકલન લો કોલેજ ગોધરાના વિદ્યાર્થી અને એન.એસ.એસ. વોલિંટિયર વિરેન્દ્ર પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું.