હળવદ – ધ્રાગધા રોડ પર મીઠું પ્રસરવાના કારણે થતાં અકસ્માતો : અનેક દ્વિચક્રી વાહન ચાલકો થયા ઘાયલ…

હળવદ,(મોરબી)
મહેન્દ્ર મારૂ

હળવદ શહેર યુવા ભાજપ પ્રમુખએ આ લોક પ્રશ્નનું ત્વરિત નિવારણ લાવવા હળવદ મામલતદારશ્રીને આવેદન પત્ર પાઠવ્યું

હળવદના મુખ્ય માર્ગ એવા ત્રણ રસ્તાથી ટિકર રોડના વળાંક સુધી મીઠા ભરેલી ટ્રકોમાંથી ભીનું મીઠું રસ્તા પર પ્રસરવાના કારણે ટુ-વહીલર વાહનો સ્લીપ થઈ જવાથી અનેક રાહદારીઓ ઘાયલ થયાના બનાવો સામે આવ્યા છે.
હળવદના મુખ્ય રસ્તાઓ પર સર્કિટ હાઉસ ત્રણ રસ્તાથી લઈને શ્રી બાપા સીતારામ મંદિર – ટિકર રોડના તરફ જવાના રસ્તામાં અત્યારે મીઠા ઉદ્યોગની સિઝન હોવાના કારણે હાલ રાત દિવસ મીઠા ભરેલી ટ્રકોની રોડ ઉપર આવન-જાવન વધી જવા પામી છે. ત્યારે હાલમાં જાણવા મળતી માહિતી મુજબ પલળેલું મીઠું ભરીને અનેક ટ્રકો આ માર્ગ પર અવન જવન કરતી હોવાથી ભીંજાયેલું મીઠું રોડ પર પ્રસરતું હોઈ અને રાત્રે અને વહેલી સવારે ઝાંકળ પણ પડતી હોવાથી આ માર્ગ પર મીઠાનું થર જામી જાય છે અને ત્યાંથી પોતાના કામ સબબ નીકળતા દ્વિચક્રી ચાલકોના વાહન આ રસ્તા પર આવેલ સ્પીડ બ્રેકર પાસે સ્લીપ ખાઈ જવાથી અકસ્માત સર્જાઈ છે અને દ્વિ ચક્રી વાહન પર સવાર લોકોને નાની મોટી ઇજાઓ અને અમુક રાહદારીઓ ગંભીર ઘાયલ પણ થયા છે અને દરરોજ આશરે 3 થી 4 વાહનો આ પ્રશ્નના કારણે સ્લીપ ખાઈ જતા હોય છે.
અત્રે ઉલ્લેખનીય છે કે હળવદ શહેરના મુખ્ય માર્ગ માનો એક માર્ગ હોઈ હળવદના ખેડૂતો માટે માર્કેટિંગ યાર્ડ જવા માટે આ રસ્તાનો ઉપયોગ રાહદારીઓ કરતા હોય છે અને હળવદની મોટા ભાગની સરકારી કચેરી તરફ જવાનો પણ આ મુખ્ય રસ્તો હોઈ ત્યારે ઘણા બધા રાહદારીઓ સમસ્યાથી પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે ત્યારે આ સમસ્યાનું નિરાકરણ થાય તે માટે હળવદ શહેર યુવા ભાજપ પ્રમુખ તપન દવે, સામાજિક કાર્યકર વિજય ભરવાડ અને સુરેશભાઈ પટેલએ હળવદ મામલતદારને આવેદન પત્ર પાઠવ્યું હતું અને આ આ પ્રશ્નનું સત્વરે નિરાકરણ થાય તેવી રજૂઆત કરી હતી. આગામી સમયમાં આ રોડ ફાયર ફાયટર અથવા તો અન્ય માધ્યમ થકી પાણીથી સાફ કરવામાં આવે તો આ અકસ્માતોના પ્રમાણમાં ઘટાડો થાય તેમ છે ત્યારે આ લોક પ્રશ્નનું સત્વરે નિરાકરણ થાય તેવી લોકમાંગ ઉઠવા પામી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here