મોડાસાના હજીરા વિસ્તારમાં આવેલા હઝરત સુલતાન સૈયદ રહેમતુલ્લા અલયનો સંદલ શરીફ તારીખ 21. 3. 2023 ના રોજ યોજાયો હતો.સંદલ શરીફની વિધિમાં ચાદર ચઢાવવામાં આવી હતી. તેમજ ફાતીયા ખ્વાની કરવામાં આવી હતી.જયારે તારીખ 22. 3. 2023 ના રોજ ઉર્સ પ્રસંગ મનાવવામાં આવશે. આ કાર્યક્રમમાં શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પીર બાબાની મજાર ઉપર હજારો લોકોની માનતા બાધા પૂર્ણ થાય છે. લોકો શ્રદ્ધાપૂર્વક બાબાના મજાર ઉપર હંમેશા આવતા રહે છે. શ્રદ્ધા અતૂટ હોય છે. દરગાહ કમિટીના મયુદ્દીનભાઈ શેખ અને રફિકભાઈ ચુનારા એ કાર્યક્રમને શાંતિપૂર્ણ રીતે પૂર્ણ કર્યો હતો.