કાલોલ(પંચમહાલ)
મુસ્તુફા મિર્ઝા
કાલોલ નગરમાં વધી રહેલા કોરોનાના કેસોને લઈને કાલોલ વેપારી એસોસિએશન તથા નવા બજાર વેપારી મંડળના તમામ વેપારીઓ એકત્ર થઈ એક આવેદનપત્ર આપી કાલોલ મામલતદાર તથા નગરપાલિકા પ્રમુખને ઉદેશી જણાવ્યું છે કે જ્યાં સુધી કાલોલમાં કોરોનાની સ્થિતિ નિયંત્રણમાં આવે નહિ ત્યાં સુધી તમામ વેપારીઓ બજારનો સમય સવારે નવથી બપોરના ચાર વાગ્યાનો કરવા તૈયાર છીએ અને તે માટે વહીવટીતંત્ર અમારી સાથે રહી આ સમયનું અમલીકરણ કરાવવામાં સહયોગ આપે તેવી માંગણી કરી છે. આ વેપારીઓએ કાલોલ મામલતદાર સમક્ષ માગણી કરી તંત્રને તથા પોલીસને સંપૂર્ણ સહકાર આપવાની ખાતરી આપી કોરોનાના કપરા સમયમાં બજારનો સમય વધારવા માટે વેપારીઓને સાથ સહકાર આપવા આવેદનપત્ર પાઠવ્યું જેમાં મોટી સંખ્યામાં વેપારીઓ હાજર રહ્યા હતા