નર્મદા જિલ્લામાં આજે RTPCR ટેસ્ટમાં વધુ ૦૩ અને એન્ટીજન (રેપિડ) ટેસ્ટમાં ૦૪ દર્દી સહિત કુલ ૦૭ પોઝિટિવ કેસ નોંધાયા…

રાજપીપલા,(નર્મદા)
આશિક પઠાણ

જિલ્લામા આજદિન સુધી RTPCR ટેસ્ટમાં ૨૯૩,એન્ટીજન (રેપિડ) ટેસ્ટમાં ૧૦૧ અને ટ્રુ નેટ ટેસ્ટમાં ૧૬ દર્દીઓ સહિત પોઝિટિવ દર્દીઓની કુલ સંખ્યા ૪૧૦ થઈ

રાજપીપલાની કોવીડ હોસ્પિટલમાંથી ૦૩ દર્દીઓ અને કોવીડ કેર સેન્ટરમાંથી સાજા થયેલા ૧૦ દર્દીઓ સહીત કુલ ૧૩ દર્દીઓને આજે રજા અપાઈ

રાજપીપલાની કોવિડ હોસ્પિટલ ખાતે આજની સ્થિતિએ ૪૧ દર્દીઓ,કોવીડ કેર સેન્ટર ખાતે ૩૭ દર્દીઓ અને વડોદરા ખાતે ૮ દર્દીઓ, અમદાવાદ ખાતે ૨ દર્દીઅો તેમજ હોમ આઇસોલેશનમા ૮ દર્દીઓ સહિત કુલ ૯૬ દર્દીઓ સારવાર હેઠળ

જિલ્લામાં આરોગ્ય ટૂકડીઓ દ્વારા આજે ૫૫,૪૦૧ વ્યક્તિઓનું કરાયેલું ડોર-ટુ-ડોર સર્વેક્ષણ : ૧૦૨ જેટલા જરૂરીયાતવાળા દર્દીઓને અપાયેલી સારવાર

COVID-19 મહામારીને અનુલક્ષીને નર્મદા જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગના એપીડેમીક મેડિકલ ઓફિસરશ્રી ડૉ. આર.એસ.કશ્યપ તરફથી આજે તા. ૨ જી ઓગસ્ટ , ૨૦૨૦ ના રોજ સાંજે ૫:૦૦ કલાકે પ્રાપ્ત થયેલી જાણકારી મુજબ આજે કોરોના વાયરસના જિલ્લામાં RTPCR ટેસ્ટમાં વધુ ૦૩ અને એન્ટીજન (રેપિડ) ટેસ્ટમાં ૦૪ દર્દી સહિત કુલ ૦૭ પોઝિટિવ કેસ નોંધાયા છે. આમ, જિલ્લામાં આજદિન સુધી RTPCR ટેસ્ટમાં ૨૯૩,એન્ટીજન (રેપિડ) ટેસ્ટમાં ૧૦૧ અને ટ્રુ નેટ (True nat) ટેસ્ટમાં ૧૬ દરદીઓ સહિત જિલ્લામા પોઝિટિવ દર્દીઓની કુલ સંખ્યા ૪૧૦ નોંધાવા પામી છે.

રાજપીપલાની કોવીડ હોસ્પિટલમાંથી ૦૩ દર્દીઓ અને કોવીડ કેર સેન્ટરમાંથી સાજા થયેલા ૧૦ દર્દીઓ સહીત કુલ ૧૩ દર્દીઓને આજે રજા અપાતા, જિલ્લામા આજદિન સુધી કોવીડ હોસ્પિટલમાંથી સાજા થયેલા ૧૮૦ દર્દીઓ અને કોવીડ કેર સેન્ટરમાંથી સાજા થયેલા ૧૩૪ દર્દીઓ સહિત કુલ ૩૧૪ દર્દીઓને રજા આપવામાં આવી છે. આમ, વડોદરા ખાતે ૮ દર્દીઓ, અમદાવાદ ખાતે ૨ દર્દીઅો અને હોમ આઇસોલેશનમા ૮ દર્દીઓ ઉપરાંત રાજપીપલાની કોવિડ હોસ્પિટલ ખાતે આજની સ્થિતિએ હવે ૪૧ દર્દીઓ, કોવીડ કેર સેન્ટર ખાતે ૩૭ દર્દીઓ સહિત કુલ ૯૬ દર્દીઓ સારવાર હેઠળ

આજે RTPCR ટેસ્ટમાં ૪૬ ,ટ્રુ નેટ (True nat) ટેસ્ટના ૭ અને એન્ટીજન (રેપિડ) ટેસ્ટના ૭૦ સહિત કુલ ૧૨૩ ટેસ્ટ સેમ્પલ ચકાસણી માટે એકત્ર કરાયેલ છે.

પ્રાપ્ત થયેલ અહેવાલ મુજબ નર્મદા જિલ્લામાં આજે તા. ૨ જી ઓગસ્ટ, ૨૦૨૦ ના રોજ આરોગ્ય ટૂકડીઓ દ્વારા કુલ- ૫૫,૪૦૧ વ્યક્તિઓનું ડોર-ટુ-ડોર સર્વે કરવામાં આવ્યું છે, જેમાં શરદી-ખાંસીના ૪૪ દર્દીઓ, તાવના ૨૪ દર્દીઓ, ઝાડાના ૩૪ દર્દીઓ સહિત કુલ-૧૦૨ જેટલા દર્દીઓ ઉકત ચકાસણી દરમિયાન મળી આવતાં આ દર્દીઓને જરૂરી સારવાર પુરી પાડવામાં આવી છે. તેની સાથોસાથ આયુર્વેદિક ઉકાળાનો આજદિન સુધી ૯,૦૮,૧૧૧ લોકોએ લાભ લીધો હતો અને હોમિયોપેથી રક્ષણાત્મક ઉપાય તરીકે આર્સેનિક આલ્બમ-૩૦ પોટેન્સી ગોળી ૪,૨૦,૪૦૧ લોકોને વિતરણ કરાઇ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here