ડભોઇ,(વડોદરા) સરફરાઝ પઠાણ :-
વડોદરા પ્રતાપ નગરથી છોટાઉદેપુર થઈ મધ્યપ્રદેશના અલીરાજપુરને જોડતી બ્રોડગેજ રેલવે ટ્રેન છેલ્લા 2 વર્ષ જેવા સમયથી બંધ પડી હતી. 22 માર્ચ 2020 લોકડાઉન સમયથી બંધ પડેલી રેલવે આજદિન સુધી શરૂ કરવામાં નહિ આવતા રેલવેમાં જે મુસાફરી કરતા અને અપડાઉંન નોકરિયાતો તેમજ યાત્રીઓને ભારે મુશ્કેલી પડી રહી હતી જેને લઇ રેલવે ટ્રેન પુનઃ શરૂ કરવા અવાર નવાર પ્રજા દ્વારા પ્રબળ માંગ ઉઠવવા માં આવતી હતી.
જ્યારે રેલ્વે વિભાગના અધિકારી દ્વારા મળેલ સત્તાવાર માહિતી મુજબ આગામી૧૪ ફેબ્રુઆરી સોમવારથી બે સમય છોટાઉદેપુરથી સવાર-સાંજ અને વડોદરાથી બે ટાઇમ સવાર સાંજ પ્રતાપનગર-છોટાઉદેપુર અને છોટાઉદેપુર-પ્રતાપનગર ટ્રેન વિધિવત ચાલુ થશેના સમાચાર સોશિયલ મીડિયા મારફતે ફરતા થતા પ્રજામાં એક અલગ ઉત્સાહ જોવા મળ્યો હતો