સુરવા ગામે 18 વર્ષીય યુવાને અગમ્ય કારણોસર ઝેરી દવા પી લેતા મોત

તિલકવાડા,(નર્મદા)
વસીમ મેમણ

પ્રાપ્ત વિગત અનુસાર તિલકવાડાં તાલુકાના સુરવા ગામે રહેતા 18 વર્ષીય હાર્દિકભાઈ.મહેન્દ્રભાઈ બારીયા નાઓ 15.10.2020 ના રોજ સાંજના 4 વાગ્યા ના સમયગાળા દરમિયાન પોતાના ઘરે પોતાની જાતે અગમ્ય કારણોસર કપાસમાં નાખવાની ઝેરી દવા પી જતા તેઓના દાદા સોમાભાઈ.ભયજીભાઈ.બારીયા તેઓને સારવાર અર્થે 108 સેવા દ્વારા ગરૂડેસ્વર આરોગ્ય કેન્દ્રમાં લઈ ગયા હતા જ્યાં તેઓની ટૂંકી સારવાર બાદ વધુ સારવાર અર્થે પ્રાઇવેટ વાહન માં પોતાની સ્વેચ્છાએ ડભોઇ વિનાયક હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા જ્યાં તેઓનું સારવાર દરમીયા 16.10.2020 ના રોજ મૃત્યુ થયેલ છે.

ઘટના ની જાણ તિલકવાડાં પોલીસ ને થતા તિલકવાડાં પોલીસ દ્વારા અકસ્માતનો ગુનો નોંધી ને આગર ની તપાસ હાથ ધરવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here