સુરત શહેરમાં પાલિકાના સફાઈ કામદારને તેના જ મિત્રએ ખેતરમાં બોલાવી હત્યા કરી…

સુરત, દિપ મહેતા :-

સુરત શહેરના રાંદેર ખાતે રહેતા અને મનપાના સફાઈ કામદારને તેના મિત્રએ જહાંગીરપુરા ખાતે ખુલ્લા ખેતરમાં બોલાવી કટર વડે ગળાના ભાગે બે ઘા મારી જીવલેણ હુમલો કર્યો હતો. સફાઈકર્મી જયેશભાઈએ તેના મિત્રને પત્નીના ખાતામાંથી કપાયેલા રૂપિયા બાબતે પૂછવા બોલાવ્યો હતો, ત્યારે આ ઘટના બનતાં જહાંગીરપુરા પોલીસે હત્યાન ગુનો નોંધી વધારે તપાસ હાથ ધરી છે.

રાંદેર રામનગરની અંબિકાનગર સોસાયટીમાં રહેતા 18 વર્ષીય મિહિરકુમાર હેમંતભાઇ મકવાણાએ જહાંગીરપુરા પોલીસ સ્ટેશનમાં હિતેશ બારોટ (રહે.,વેડ રોડ, કતારગામ) સામે હત્યાના પ્રયાસની ફરિયાદ નોંધાવી છે. મિહિરે ધોરણ-12ની રિપીટર વિદ્યાર્થી તરીકે પરીક્ષા આપી છે. તેના મકાનના પહેલા મિહિરના કાકા જયેશભાઈ ખીમજીભાઈ મકવાણા રહે છે. ગઈકાલે મિહિર ઘરે હતો ત્યારે તેની કાકીએ ફોન કરીને જયેશભાઈને હિતેશ બારોટે ગળાના ભાગે ચપ્પુના ઘા માર્યાનું કહ્યું હતું. અને હાલ તે હોસ્પિટલમાં છે..
જહાંગીરપુરા પોલીસે તેમનું નિવેદન લેતાં જયેશભાઈએ પોલીસને જણાવ્યું હતું કે, તેમના મિત્ર હિતેશ બારોટે જયેશભાઈની પત્ની વૈશાલીબેનના એકાઉન્ટમાંથી કપાઈ ગયેલા રૂપિયા બાબતે બપોરે જહાંગીરપુરા વૈષ્ણોદેવી સ્કાયની સામે આવેલ ખુલ્લા ખેતરમાં બોલાવ્યો હતો. જેથી જયેશભાઈ મોપેડ લઈને ગયા હતા. જ્યાં હિતેશ બારોટ ત્યાં ઝઘડો કરી કટર વડે ગળાના ભાગે બે ઘા મારી નાસી ગયો હતો. જહાંગીરપુરા પોલીસે આ અંગે હત્યાનો ગુનો નોંધી વધારે તપાસ હાથ ધરી છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here