નસવાડી, (છોટાઉદેપુર) જાવેદ એન કુરેશી :-
આજરોજ છોટાઉદેપુર જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી ઈમ્તિયાઝ શેખ સાહેબ ના આદેશથી અને જિલ્લા નાયબ પોલીસ અધિક્ષક શ્રી ધર્મેન્દ્રસિંહ કે. રાઠોડ સાહેબ ના માર્ગદર્શન હેઠળ જાસ્મીન ચેરીટેબલ ટ્રસ્ટ વડોદરા દ્વારા અને નયા સંકલ્પ ફાઉન્ડેશન ચેરીટેબલ ટ્રસ્ટ ના સહયોગ થી અને જે.ટી.એ. સ્પોર્ટ્સ એન્ડ સેલ્ફ ડિફેન્સ એકેડમી ના સંકલન થી નસવાડી તાલુકાની શ્રીમતી શાંતાબા ભરતસિંહ સોલંકી વિધામંદિર શાળા ની કન્યાઓને સ્વબચાવ ની તાલીમ સંસ્થા દ્વારા નિમણૂક કરેલ ધર્મીષ્ઠા રાઠવા અને સંસ્થા ની ટીમ દ્વારા આપવામા આવી હતી. તાલીમ બાદ વિધાર્થીની બેહનોને કાનૂન વિષેની માહિતી નસવાડી પોલીસ સ્ટેશન સુરક્ષા સેતુ ના ઇનચાર્જ બેન ધારાબેન એચ.ગોહેલ દ્વારા આપવામા આવી હતી. તેમજ નસવાડી પોલીસ સ્ટેશન ના પી.એસ.આઈ શ્રી. દશરથસિંહ એચ. વાઘેલા સાહેબ અને શાળા ના આચાર્ય તેમજ સંસ્થા ના પ્રમુખ શ્રી જાબીરહુસેન એન.મલેક અને મંત્રી ખલીલ શેખ દ્વારા વિધાર્થીની બહેનોને ભવિષ્યમા આવા આવનાર સમયમા પોતાની સૂરક્ષા કરે તે તાલીમ બદલ શુભેચ્છાઓ પાઠવવામા આવી હતી.