બોડેલી, (છોટાઉદેપુર) ચારણ એસ વી :-
છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર પાસે આવેલ સિહોદ ગામ પાસે વરસાદને કારણે નદીમાં પાણી આવતા ભારજ નદીના બ્રિજના પીલ્લરમાં ખામી સર્જાઇ હતી ત્યારે છોટાઉદેપુર તંત્ર દ્વારા નેશનલ હાઈવે 56 ઉપર આવેલ ભારજ બ્રિજને બંધ કરી દેવાયો હતો તમામ વાહનોને બંધ કરી દેવામાં આવ્યા હતા છેલ્લા દોઢ મહિનાથી આ બ્રિજ બંધ કરી દેવાયો હતો ક્યારેક ગત રાત્રિએથી છોટાઉદેપુર જિલ્લા કલેકટર દ્વારા જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું છે કે ભારજ નદીના બ્રિજ ઉપર ટુ-વ્હીલર જઈ શકશે માત્ર મોટરસાયકલ તેમજ પગદંડી દ્વારા બ્રિજ ઉપરથી પસાર થઈ શકાશે ત્યારે છોટાઉદેપુર જિલ્લાની જનતાને મોટરસાયકલ ચાલકોને રાહત મળી છે.