શ્રી આદિવાસી માધ્યમિક શાળા ડુંગરવાટ ખાતે શિક્ષકદિનની ઉજવણી કરવામાં આવી…

પાવીજેતપુર, (છોટાઉદેપુર) મુઝફ્ફર ધાબાવાલા :-

પાવીજેતપુર તાલુકાની શ્રી આદિવાસી માધ્યમિક શાળા ડુંગરવાટ ખાતે 5 સપ્ટેમ્બર એટલે રાષ્ટ્રીય શિક્ષક દિન મહાન કેળવણી કાર અને ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ સ્વર્ગસ્થ ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન ની યાદ માં તેમના જન્મદિવસને સમગ્ર ભારત દેશમાં શિક્ષક દિન તરીકે ઉજવવામાં આવે છે આજરોજ શ્રી આદિવાસી માધ્યમિક શાળા ડુંગરવાટ ખાતે શિક્ષક દિવસ નિમિત્તે શાળાના 42 જેટલા વિદ્યાર્થીઓ દ્વારા સ્વશાશન દિન ની ઉજવણી કરવામાં આવી જેમાં તમામ નવા વરાયેલા શિક્ષકો દ્વારા ખૂબ જ સારી કામગીરી કરવામાં આવી હતી. જેવો ભવિષ્યમાં ખૂબ જ પ્રગતિ કરે તેવી શાળાના આચાર્યશ્રી તથા શાળા પરિવાર દ્વારા શુભકામનાઓ પાઠવવામાં આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here