વેજલપુર બસ સ્ટેન્ડના સમાચાર પ્રસિદ્ધ થતા એસટી વિભાગ સફાળુ જાગી તાબડતોડ કામ શરૂ કરી તાત્કાલ નવા બાંકડા મુકાયા…

કાલોલ,(પંચમહાલ) ઇમરાન ખાન :-

કાલોલ તાલુકા વેજલપુર બસ સ્ટેન્ડ કરોડો રૂપિયાના કામકાજે બનેલો ત્યાં લાંબા સમયથી બાકડા તૂટી જતા પ્રવાસીઓને ઉભાપીરની બાધા લેવાનો વારો આવ્યો હતો.મુસાફર લોકોને બેસવાની સુવિધા ન મળતાં જાગૃત નાગરિકો અને બસ સ્ટેન્ડના કન્ટ્રોલર સાહેબ દ્વારા લેખિતમાં અરજીઓ કરતાં છતાંય અધિકારી અને પદ અધિકારીઓ તંત્ર આંખ આડા કાન કરતા કલમ કી સરકાર ન્યુઝ પેપરમાં ગઈકાલે તારીખ ૯ જૂને સમાચાર પ્રસિદ્ધ કરવામાં આવતા એસ.ટી.નિગમ તંત્ર નિદ્રામાથી જાગતા હરકતમાં આવીને આજે વેજલપુર બસ સ્ટેન્ડ માં પ્રવાસીઓને બેસવાની સુવિધા માટે નવા બાંકડાઓ મુકવાની તાબડતોડ કામગીરી હાથ ધરવામાં આવી..
વેજલપુરના જાગૃત નાગરિકો દ્વારા ભ્રષ્ટાચારનો આરોપ લગાવતા વેજલપુર બસ સ્ટેન્ડમા વપરાતી ભારી ધરખમ રકમો તેમ છતાંય તૂટી ગયેલ બાંકડાઓ થી માડી આર સી સી ના પોપડા પણ ઉખડી જતા કોન્ટ્રાક્ટરો અને એસ.ટી.નિગમના બાંધકામ સમિતિ ને ખરાબ મટીરેયલ વાપરવા બદલ ભ્રષ્ટાચારીયોમાં મિલીભગતના અનેક તર્ક-વિતકૉં ના સવાલો ઉભા કરી દેવામાં આવી રહ્યા છે.. કલમ કી સરકાર ન્યૂઝ પેપરમાં ગઈ કાલ પ્રસિદ્ધ થયા હતા જે સમાચાર ની અસરની ભાગરૂપે પદ અધિકારી દ્વારા તાત્કાલિક બાકડા મૂકી પ્રવાસીઓની બેસવાની સુવિધા કરવામાં આવી..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here