રાજકોટ જિલ્લાના ધોરાજીની સરકારી હોસ્પિટલ ખાતે દિવ્યાંગતા ના સર્ટીફીકેટ કાઢવાનો કેમ્પ યોજાશે…

ધોરાજી,(રાજકોટ) રાજુભાઇ બગડા :-

કોરોના કાળમા બંધ હોવાથી માનવ સેવા યુવક મંડળ ની રજુઆતો થી ધોરાજી ની સરકારી હોસ્પિટલ ખાતે આગામી તારીખ ૧૪-૧૦-૨૧ ગુરૂવારે સવારે ૯/૩૦થી બપોર સુધી દિવ્યાંગતા ના સર્ટીફીકેટ આપવા મા આવસે જેમાં માનસિક રોગ અને આંખ અને હાડકાંના અને અન્ય કોઈ ખોડ ખાંપણ અંગે ના સર્ટીફીકેટ સ્થળ ઉપરજ અપાસે અને કોરોના કાળમા આવા ખોડ ખાંપણ અંગે ના સર્ટીફીકેટ આપવા ના કાર્ય બંધ હોય અને અરજદારો ને જીલા લેવલે હેરાન ન થાય એ અંગે માનવ સેવા ના ધર્મેન્દ્ર બાબરીયા અને ભોલા સોલંકી એ ઉચ કક્ષાએ રજૂઆત કરેલ અને હવે ધર આંગણે ધોરાજી ની સરકારી હોસ્પિટલ ખાતે તારીખ ૧૪-૧૦-૨૧ ના રોજ સવારે ૯/૩૦ થી બપોર સુધી દિવ્યાંગતા ના સર્ટીફીકેટ કાઢવા નો કેમ્પ રાખેલ છે એમ ધોરાજી ની સરકારી હોસ્પિટલ ના અધીક્ષક ડો જયેશ વેસેટીયને જણાવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here