મકાન અને માર્ગ વિભાગના રોજમદારને નિવૃત્તિ તારીખથી તફાવત સહિત પેન્શન ચૂકવવાનો હાઈકોર્ટ,નો આદેશ

કાલોલ, (પંચમહાલ) મુસ્તુફા મિર્ઝા :-

મહીસાગર જિલ્લાના લુણાવાડા મુકામે આવેલ કાર્યપાલક ઇજનેર મકાન અને માર્ગ પંચાત ના તાબા હેઠળ ની કચેરી નાયબ કાર્યપાલક ઇજનેર ના નેજા હેઠળ તારીખ ૨૪/૧/૭૮ થી રોજમદાર તરીકે ફરજ બજાવતા રૂપાભાઈ હીરાભાઈ વણકરને તારીખ ૩૧/૭/૧૧ ના રોજ સરકારશ્રીના નિયત કરેલ નીતિ નિયમોને આધીન નિવૃત કરવામાં આવેલ નિવૃત્તિ સમયે તેઓને મળવાપાત્ર લાભો આપવામાં આવેલ ન હતા જે બાબતે અરજદાર એ વારંવાર કચેરીના અધિકારીઓને નિવૃત્તિના રૂબરૂમાં વિનંતી કરેલ પરંતુ સરકારશ્રી તરફથી કોઈ યોગ્ય પ્રત્યુતર આપવામાં આવેલ ન હતો જેને લઇ અરજદાર રૂપાભાઈ હીરાભાઈ એ ગુજરાત સ્ટેટ લેબર ફેડરેશનના પ્રમુખ એ એસ ભોઈ નો સંપર્ક કરેલ અને વિગતવાર રજૂઆતો કરતા ફેડરેશન દ્વારા સેક્રેટરી શ્રી સ્ટેટ ઓફ ગુજરાત પંચાયત રૂલર એન્ડ હાઉસિંગ વિભાગ ગાંધીનગર તેમજ નાયબ નિયામક શ્રી પેન્શન અને પ્રોવિડન્ટ ફંડ ગાંધીનગર કાર્યપાલક નાયબ કાર્યપાલક પંચાયતમાં માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓને અરજદારને નિવૃતિના લાભો આપવા માટે નોટિસ આપે પરંતુ તે બાબતે પણ યોગ્ય પ્રત્યુતર ન મળવાને કારણે ફેડરેશન મારફતે નામદાર ગુજરાત હાઇકોર્ટ સમક્ષ એસ સી એ નંબર ૧૧૧૨૭/૨૨ દાખલ કરેલ જે અરજી ચાલી જતા નામદાર ગુજરાત હાઇકોર્ટ દ્વારા અરજદાર રૂપાભાઈ ને નિવૃત્તિ ની તારીખથી મળવા પાત્ર પેન્શન પેન્શન તફાવત રજાઓ બાકી નીકળતી ગ્રેજ્યુટી સહિતના લાભો આપવાનો આખરી આદેશ કરેલ જે સરકારશ્રીને મળતા તેઓ દ્વારા એસ સીએ માં થયેલ હુકમ પડકારવા હાઇકોર્ટ સમક્ષ એલપી૧૫૬૭/૨૨ દાખલ કરેલ જે અરજી ચાલી જતા નામદાર ગુજરાત હાઇકોર્ટના અન્ય ન્યાયમૂર્તિ શ્રી એ જે દેસાઈ સાહેબ તથા નિશા એમ ઠાકોર સાહેબ દ્વારા સરકારની એલપીએ રદ કરેલી અને એસસીએ માનો હુકમ યથાવત રાખેલ આમ નિવૃત્તિના ૧૨ વર્ષ બાદ સરકાર દ્વારા અરજદાર રૂપાભાઈ હીરાભાઈ વણકરને પેન્શન પેન્શન તફાવત તેમજ મળવાપાત્ર તમામ હક કિસ્સાઓની ચુકવણી કરવામાં આવતા ગરીબ અને આદિવાસી વિસ્તારમાં વસતા અરજદાર અને અરજદારના પરિવારમાં અનેરો આનંદ છવાયો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here