ભાવનગર એસટીના વિભાગય નિયામક acb ના સકંજામાં રંગેહાથ ઝડપાયા…

ભાવનગર, પરવેઝ ખાન ખોખર :-

ભાવનગર જીએસઆરટીસી માં ડીસી તરીકે ફરજ બજાવતા શ્રી અશોકભાઈ કેશવલાલ પરમાર વિભાગ નિયામક એસટી ભાવનગર ખાતે ફરજ બજાવતા હતા અને ભાવનગર થી મહુવા રોડ ઉપર ખાનગી ટ્રાવેલ્સના સંચાલકો પાસેથી દર મહિને ઉઘરાવતા હતા પૈસાની ખંડણી એક જાગૃત સંચાલકે acb માં અગાઉ ફરીયાદ કરેલ હતી તેના અનુસંધાનમાં ફરિયાદી તેમજ acb ના અધિકારીઓએ છટકું ગોઠવી વિભાગ્ય નિયામકને અંકે રૂપિયા 50000 ની લાચ આપતા રંગે હાથે acb ના અધિકારીઓ ને સફળતા મળેલ હતી વિભાગીય નિયામક પોતાના સ્ટાફ ક્વોટરમાં જ રંગે હાથે ઝડપી પાડ્યા હતા એસટી નિગમમાં આવા લાચિયા અધિકારીને કારણે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ નું વહીવટી તંત્ર ખાડે ગયેલું છે ભૂતકાળમાં પણ 2019 ની ડ્રાઇવર કંડકટર ભરતીમાં કેટલાક અધિકારીઓએ કૌભાંડ પણ કરવામાં આવેલું હતું જે કૌભાંડની શાહી હજી સુકાઈ નથી તેવામાં જ વધુ એક અધિકારી નજરે ચડ્યા આમ ગુજરાત એસટી કર્મચારીમાં ખબરાટ થઈ જવા પામેલ છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here