ધોરાજી,(રાજકોટ) રાજુભાઇ બગડા :-
રાજકોટ જિલ્લાના ધોરાજી શહેર ખાતે ધોરાજી – ઉપલેટા વિધાનસભા સ્યુગ ઉપક્રમે મહારક્તદાન નું આયોજન કરવામાં આવ્યું હતું અને ધણા સમયથી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ના જન્મ નિમિત્તે ભારતીય જનતા પાર્ટી દ્વારા સેવાકીય કાર્ય ચાલુ છે તા.૧૭ થી ૭ ઓક્ટોબર સુધી આ સેવા યગ્ન ચાલુ રહેવાનો છે.એના ભાગ રૂપે પટેલ રંગ મંડપ ધોરાજી ખાતે મહારક્તદાન નો કેમ્પ રાખવામાં આવ્યો છે અને સૌ થી વધુ રકત ની બોટલ થઈ વધુ એકત્રિત થશે.
આજરોજ ધોરાજી ખાતે સવારના ૯:૦૦થી૧:૦૦ વાગ્યા સુધી માન્ય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ના જન્મ નિમિત્તે આગામી કેટલા દિવસ માં આખાય દેશમાં અલગ અલગ સેવા ભાવિકો દ્વારા કાર્યક્રમો ચાલી રહ્યા છે, ગરીબો સુધી નામના કામ ઝડપથી પહોંચે ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા તરફથી નાના મોટા કાર્યક્રમો થઈ રહ્યા છે. અમાનો એક કાર્યક્રમ ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા 75 ધોરાજી – ઉપલેટા વિધાનસભા દ્વારા મહારક્તદાન કેમ્પ નુ આયોજન કરવામાં આવ્યું હતું અને લોકોને આ રક્ત ઉપયોગી થશે