દેવભૂમિ દ્વારકા, પ્રવસી પ્રતિનિધિ :-
તા – ૧૭/૦૯/૨૦૨૧ ના રોજ ગુજરાતના મનોતા પુત્ર અને વિશ્વ પ્રસિદ્ધ યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદી જી ના ૭૧ માં જન્મદિવસ નિમિત્તે ભાટીયા ગામે દેવભૂમિ દ્વારકા જિલ્લા બક્ષીપંચ મોરચા તથા ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા શ્રી શ્રી હોલ ખાતે સવારે ૯:૩૦ કલાકે યજ્ઞ નારાયણનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોરચાના પદ અધિકારીઓ શ્રી ડી.એલ. પરમાર સાહેબ અને તેનો પરિવાર યજમાન પદે રહ્યા હતા. તેમજ ભાટીયા ગામ ના પત્રકારો અને સામાજિક કાર્યકર તેમજ દિલીપભાઈ ચૌહાણ શ્રેષ્ઠ શિક્ષક, પાયલબેન વાંઝા, રામભાઈ લુહાર તથા ગુજરાત રાજ્ય યોગ બોર્ડ ના યોગ કોચ ધનાભાઈ,દિલીપભાઈ, ભાવેશભાઈ અને યોગ ટ્રેનરો રામભાઈ, ગીતાબેન, કિશોર ભાઈ,મોહનભાઈ, મનિષાબેન, વગેરે બહોળી સંખ્યામાં લોકો હાજર રહી યજ્ઞમાં કુલ ૭૧ વ્યક્તિ એ મહામૃત્યુંજય મંત્રની સાથે આહુતિઓ આપેલ હતી યજ્ઞના આચાર્ય પદે સંજયભાઈ રામ શંકરભાઇ આરંભડિયા રહ્યા હતા.