બોડેલી,(છોટાઉદેપુર) એસ વી ચારણ :-
આજરોજ બોડેલીમાં ભિલીસ્થાન લાયન સેના તેમજ ભારતીય કિસાન સેના દ્વારા રેલી કાઢવામાં આવી હતી. ભીલીસ્થાન લાયન સેના દ્વારા જાણવા મુજબ ત્રણ કાળા કૃષિ કાનૂન સરકાર દ્વારા પાછા લેવામાં આવે. ગુજરાત ખાતે બોડેલી મા સૌ પ્રથમ અને સૌથી સક્રિય લડનાર શાહિદ મનસુરી ની લડતો કે. કિસન દ્વારા દિલ્હીમાં ત્રણ કાળા કાનુન જેની વિરોધમાં ભારતભરના ખેડૂત દિલ્હીમાં આદોલન મા બેઠા છે અને ઘણા સમયથી ધરણા પ્રદર્શન પર બેઠા હતા ત્યારે ગુજરાતના વિસ્તારો તેમજ મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ રાજસ્થાનમાં પણ આંદોલન કર્યા ત્યારે છોટાઉદેપુર થી બોડેલી લઈને છોટાઉદેપુર સુધી ખેડૂતોએ પગપાળા પણ કરી હતી તેમજ આદોલન પણ કર્યા હતા ત્યારે બોડેલીમાં અલીપુરા ચાર રસ્તા પાસે ભીલીસ્થાન લાયન સેના ભારતીય કિસાન સેના દ્વારા એક શાંતિપૂર્વક રેલી કાઢવામાં આવી હતી ભારતીય કૃષિ કાળા કાયદા હટાવવા માટે બોડેલીમાં ચાર રસ્તા ઉપર ખેડૂત સાથે ઉપસ્થિત રહ્યા હતા બોડેલીના શાહિદ ભાઈ મન્સૂરીએ જણાવ્યું હતું કે દિલ્હી મા ધરણા પર બેસેલા હતા ત્યાં રે 700 જેટલા ખેડૂતો નું બલિદાન અપાયું છે તે બલિદાન ને અમે એડે નહીં જવા દઈએ એવી બોડેલી છોટાઉદેપુર ભીલીસ્થાન લાયન સેના અને કિસાન સેના એ ખાતરી આપી હતી અને. અલીપુરા ચાર રસ્તા પર ફટાકડા ફોડીને રેલીને પૂર્ણ વિધિ કરી હતી