બોડેલી,(છોટાઉદેપુર) જાવેદ એન કુરેશી :-
છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકા ઉચાપાન મા બોડેલી ના પીએસઆઇ એન જી રોહિત ની અધ્યક્ષતા માં પવિત્ર હોળીના તહેવારને લઈને ઉચાપાન ગામના સરપંચ અને ગામ ના આગેવાનો ને હાજર રાખી હોળી નો પવિત્ર તહેવાર શાંતિ થી ઉજવવામાં આવે અને કોઈ અસામાજિક તત્વો દ્વારા કાકરી ચાડો કરવામાં ન આવે એ હેતું થી શાંતિ સમિતિની બેઠક યોજવામાં આવી હતી.હોળી, જેને રંગોનો તહેવાર પણ કહેવામાં આવે છે,
તે ભારત, સુરીનામ, ગુયાના, ટ્રિનિદાદ, યુનાઇટેડકિંગડમ અને નેપાળ માં ભારે લોકચાહના ધરાવતો હિંદુ તહેવાર છે. તેને ‘દોલયાત્રા’ કે ‘વસંતોત્સવ’ તરીકે પણ ઓળખવામાં આવે છે.
હોળીઆ તહેવારનો પ્રથમ દિવસ હોળી અને બીજો દિવસ ધુળેટી તરીકે ઓળખાય છે. હોળી ફાગણ માસની પુનમનાં દિવસે મનાવવામાં આવે છે. આ દિવસે સાંજે ગામનાં પાદર કે મુખ્ય ચોક જેવા સ્થાન પર છાણા, લાકડાં ની ‘હોળી’ ખડકવામાં આવે છે. ત્યાર બાદ બધાં લોકો ત્યાં વાજતે ગાજતે (ઢોલ,શરણાઇ જેવાં વાજીંત્રો વગાડતાં) એકઠા થાય છે અને હોળી પ્રગટાવવામાં આવે છે. લોકો તેની પ્રદક્ષિણા કરે છે તેમજ શ્રીફળ વગેરે પવિત્ર મનાતી વસ્તુઓથી તેમનું પૂજન કરે છે. જો કે ભારતમાં વિવિધ પ્રાંતો અને સમુદાયોમાં હોળીની ઉજવણીની અલગ અલગ રીતો હોય છે, પરંતુ દરેકની ભાવના એક જ હોય છે કે હોળી પ્રગટાવી અને આસુરી તત્વોનો નાશ કરવો અને દૈવી શક્તિઓનું સન્માન કરવું. હિંદુ ધર્મમાં આને લગતી “હોળીકા અને પ્રહલાદ”ની કથા બહુ જાણીતી છે.હોળીનાં બિજા દિવસે ધુળેટી મનાવાય છે. આ તહેવાર ‘રંગોનો તહેવાર’ એટલેજ કહેવાય છે કે આ દિવસે સવારથી સૌ કોઇ નાના મોટા એકબિજા પર અબિલ, ગુલાલ તેમજ કેસુડાનાં રંગો છાંટી પોતાનો ઉત્સાહ અને આનંદ વ્યક્ત કરે છે. જો કે હવેનાં સમયમાં ક્યાંક ક્યાંક રસાયણિક રંગોનો ઉપયોગ પણ કરાય છે, જેનો ઉપયોગ બને તેટલો ટાળવો હિતાવહ છે.