પંચમહાલ જિલ્લામાં રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરાયું, કુલ ૮૫૮૬ કેસોનું નિરાકરણ લવાયું

ગોધરા, (પંચમહાલ) સંજય સોલંકી :-

નાલ્સા, નવી દિલ્હી તથા ગુજરાત રાજ્ય કાનુની સેવા સત્તા મંડળ, અમદાવાદનાઓના માર્ગદર્શન હેઠળ પંચમહાલ-ગોધરા જીલ્લા તથા તાલુકા કક્ષાએ રાષ્ટ્રિય લોક અદાલતનું આયોજન કરાયેલ જેમાં જુદી-જુદી ફોજદારી,દિવાની તથા એમ.એ.સી.ટી.ટ્રીબ્યુનલ,ફેમીલી કોર્ટમાં દિવાની તથા ફોજદારી સમાધાન લાયક કેસો મૂકવામાં આવેલ જેમાં તમામ કેટેગરીના મળી કુલ- ૨૬૪૮૦ કેસો મૂકવામાં આવેલ તે પૈકી કુલ ૮૫૮૬ કેસો લોક-અદાલત તથા સ્પે.સીટીંગના માધ્યમથી પૂર્ણ કરવામાં આવેલ છે. આ ઉપરાંત આ લોક-અદાલતમાં જૂના કેસો જે ડેડ વુડ પ્રકારના ૪૭ કેસો સરકારશ્રી વતી માનનીય જીલ્લા મેજીસ્ટ્રેટ ધ્વારા યોગ્ય કાર્યવાહી કરીને પરત ખેંચવાનો હકારાત્મક અભિગમ અપનાવીને તેવા કેસોનો પણ નિકાલ લોક-અદાલતમાં કરાયેલ છે. આ ઉપરાંત વીજ કંપની, મોબાઈલ કંપની, બેંક જેવી સંસ્થાઓ ધ્વારા પણ પ્રિ-લીટીગેશનના કેસો મૂકવામાં આવેલ હતા તેમ સચિવશ્રી જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ પંચમહાલ ગોધરાએ એક અખબારી યાદીમાં જણાવેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here