ગોધરા,(પંચમહાલ) ઈશહાક રાંટા :-
આજે કુલ 07 વ્યક્તિઓને રજા અપાઈ, પોઝિટીવ સક્રિય દર્દીઓની સંખ્યા ઘટીને 23 રહી
પંચમહાલ જિલ્લામાં કોરોના સંક્રમણનાં નવા કેસની સંખ્યામાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. નવા મળતા કેસોની સંખ્યા આજે 02 નોંઘાઈ છે. શહેરી વિસ્તારોમાંથી આજે એક પણ નવો કેસ મળ્યો નથી. જ્યારે કુલ 07 વ્યક્તિઓને સાજા થવાનાં પરિણામે રજા આપવામાં આવી છે. શહેરા ગ્રામ્યમાંથી 01 કેસ અને મોરવા હડફ ગ્રામ્યમાંથી 01 કેસ મળી આવ્યો છે. યાદીમાં જણાવ્યા અનુસાર આજે 18થી વધુ વયની 3324 વ્યક્તિઓને કોવિડ-19 પ્રતિરોધક રસી આપવામાં આવી હતી. હાલમાં જિલ્લામાં કુલ 23 સક્રિય દર્દીઓ છે.