પંચમહાલ જિલ્લામાં કોરોના સંક્રમણના નવા ૨૧ કેસો નોંધાયા

૧૨ દર્દીઓને હોસ્પિટલમાંથી રજા અપાઈ, સક્રિય દર્દીઓનો આંક ૧૩૧ થયો

કુલ કેસનો આંક ૨૯૮૮ થયો, કોરોનાને પછડાટ આપી ૨૭૩૬ દર્દીઓ સાજા થયા

ગોધરા(પંચમહાલ),

પંચમહાલ જિલ્લામાં આજે કોવિડ-૧૯ સંક્રમણના ૨૧ નવા કેસ મળી આવતા સંક્રમણના કુલ કેસની સંખ્યા ૨૯૮૮ થઈ છે. ૧૨ દર્દીઓને સારવાર બાદ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવતા હાલની સ્થિતિએ જિલ્લામાં ૧૩૧ સક્રિય દર્દીઓ રહ્યા છે, જેમની સારવાર હાથ ધરવામાં આવી રહી છે. નવા મળી આવેલા કેસોમાંથી શહેરી વિસ્તારોમાંથી ૧૩ કેસો મળી આવ્યા છે. જે પૈકી ગોધરામાંથી ૦૪, હાલોલમાંથી ૦૬ કેસ અને કાલોલમાંથી ૦૩ કેસ મળી આવ્યા છે. શહેરી વિસ્તારોમાં સંક્રમણના કુલ ૨૧૭૪ કેસ નોંધાયા છે. ગ્રામ્ય વિસ્તારોમાંથી આજે ૦૮ કેસ મળી આવ્યા છે. ગોધરા ગ્રામ્યમાંથી ૦૧, હાલોલ ગ્રામ્યમાંથી ૦૧, કાલોલ ગ્રામ્યમાંથી ૦૩, શહેરા ગ્રામ્યમાંથી ૦૧, ઘોઘમ્બા ગ્રામ્યમાંથી ૦૧ અને જાંબુઘોડા ગ્રામ્યમાંથી ૦૧ કેસ મળી આવ્યા છે. આ સાથે જ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાંથી મળી આવેલ કેસોની સંખ્યા ૮૧૪ થવા પામી છે. સારવાર બાદ સાજા થતા આજે કુલ ૧૨ દર્દીઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. આ સાથે હોસ્પિટલમાંથી રજા મેળવનાર દર્દીઓની કુલ સંખ્યા ૨૭૩૬ થવા પામી છે. જિલ્લામાં કોરોનાના સક્રિય કેસોની સંખ્યા ૧૩૧ થઈ છે, જેમની સારવાર ચાલી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here