ગોધરા,(પંચમહાલ)
સાજીદ શેખ,
પંચમહાલ જિલ્લાના પાટનગર એવા ગોધરા નગરમાં ફરી એક વખત હ્યુમન્સ કેર નામક સેવાકીય મંડળ દ્વારા લોકસેવાના કાજે ઇંડિયન રેડક્રોશના સહયોગથી સમસ્ત મુસ્લિમ સમાજને સાથે રાખી રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગોધરા નગરના અનેક રક્તદાતાઓએ પોતાના અણમોલ રક્તનું દાન કરી માનવતાની મહેક મહેકાવી હતી.
પ્રવર્તમાન સમયમાં સમગ્ર વિશ્વ માનવભક્ષી એવા કોરોના વાયરસના પ્રકોપની સામે જઝૂમી રહ્યું છે, દુનિયાના અનેક દેશોની સાથે ભારતમાં પણ કોરોનાના કાળે લાખો લોકો સંક્રમિત થયા હતા અને અનેક લોકોને કોરોનાનો કાળો કહેર ભરખી ગયો છે તેમજ આજે પણ કોરોનાની બે રહેમ પડછાઇ પોતાની આકૃતિમાં દિન-પ્રતિદિન વધારો કરી રહી છે. આવા કપરા સમયમાં રક્તવાદ્ક રોગોથી પીડાતા અનેક દર્દીઓને વારંવાર રક્તની જરૂરિયાતનો સામનો કરવાનો વારો આવતો હોય છે તથા થેલેસિમિયા જેવી ગંભીર બીમારીથી પીડાતા દર્દીઓ માટે રક્ત એક માત્ર વિકલ્પ હોય છે. જેને ધ્યાનમાં લઈને ગોધરા નગરના હ્યુમન્સ કેર નામક સેવાકીય મંડળ દ્વારા સરકારશ્રીની ગાઈડ લાઇન મુજબ સોશિયલ ડિસ્ટન્સ જાળવી મદ્રસા નુરૂલઇસ્લામ, પોલાન બજાર ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ રક્તદાન કેમ્પમાં ગોધરા નગરના સભ્ય સમાજે એટલે કે દરેક ધર્મના લોકોએ ઉત્સાહભેર હાજરી આપી પોતાના અણમોલ રક્તનું દાન કર્યું હતું.