પંચમહાલ જિલ્લામાં કોરોના સંક્રમણના નવા ૧૧ કેસો નોંધાયા

ગોધરા,(પંચમહાલ)
ઇશ્હાક રાંટા

૧૫ દર્દીઓને હોસ્પિટલમાંથી રજા અપાઈ સક્રિય દર્દીઓનો આંક ૧૦૯

કુલ કેસનો આંક ૨૭૭૦ થયો કોરોનાને પછડાટ આપી ૨૫૪૧ દર્દીઓ સાજા થયા

પંચમહાલ જિલ્લામાં ગત રોજ કોવિડ-૧૯ સંક્રમણના ૧૧ નવા કેસ મળી આવતા સંક્રમણના કુલ કેસની સંખ્યા ૨૭૭૦ થઈ છે. ૧૫ દર્દીઓને સારવાર બાદ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવતા હાલની સ્થિતિએ જિલ્લામાં ૧૦૯ સક્રિય દર્દીઓ રહ્યા છે, જેમની સારવાર હાથ ધરવામાં આવી રહી છે. નવા મળી આવેલા કેસો પૈકી જિલ્લાના શહેરી વિસ્તારોમાંથી ૦૭ કેસ મળી આવ્યા છે. ગોધરા શહેરમાંથી ૦૫ અને હાલોલ શહેરમાંથી ૦૨ કેસો મળી આવ્યા છે. શહેરી વિસ્તારોમાં સંક્રમણના કુલ ૨૦૩૫ કેસ નોંધાયા છે. ગ્રામ્ય વિસ્તારોમાં આજે સંક્રમણના ૪ કેસ મળી આવ્યા છે. સારવાર બાદ સાજા થતા આજે કુલ ૧૫ દર્દીઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. આ સાથે હોસ્પિટલમાંથી રજા મેળવનાર દર્દીઓની કુલ સંખ્યા ૨૫૪૧ થવા પામી છે. જિલ્લામાં કોરોનાના સક્રિય કેસોની સંખ્યા ૧૦૯ થઈ છે, જેમની સારવાર ચાલી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here