પંચમહાલ જિલ્લામાં આજે મુખ્યમંત્રીશ્રીના વરદહસ્તે જિલ્લા પંચાયતના નવીન મકાનનું ઇ-ખાતમુહૂર્ત યોજાશે

ગોધરા,(પંચમહાલ)
ઈશહાક રાંટા

મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીના વરદહસ્તે આવતીકાલે પંચમહાલ જિલ્લા પંચાયતના નવીન મકાનનું ગાંધીનગર ખાતેથી ઈ-ખાતમુહૂર્ત યોજાશે. આ શુભ પ્રસંગે ગોધરાના સિવિલ લાઇન્સ રોડ ખાતેની જૂની પંચાયત કચેરી ખાતે સવારે ૧૦.૦૦ વાગ્યે કૃષિ, પંચાયત અને પર્યાવરણ મંત્રીશ્રી જયદ્રથસિંહ પરમારની પ્રેરક ઉપસ્થિતિમાં ઈ-ખાતમુહૂર્તનો કાર્યક્રમ યોજાશે. સમારોહના મુખ્ય મહેમાનપદે પંચમહાલ સાંસદશ્રી રતનસિંહ રાઠોડ, છોટાઉદેપુર સાંસદશ્રી ગીતાબેન રાઠવા, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી રાજપાલસિંહ જાદવ, ધારાસભ્ય સર્વશ્રી સી.કે. રાઉલજી, શ્રી જેઠાભાઈ ભરવાડ અને સુશ્રી સુમનબેન ચૌહાણ સહિતના પદાધિકારીઓ તેમજ જિલ્લા કલેકટરશ્રી અમિત અરોરા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી એ.જે. શાહ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહેશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here