ગોધરા,(પંચમહાલ) ઈશહાક રાંટા :-
પક્ષકારોએ સંબંધિત કોર્ટોમાં સંપર્ક કરી તાત્કાલિક અરજી કરવી
નામદાર રાષ્ટ્રીય કાનુની સેવા સત્તા મંડળ-નાલ્સા નવી દીલ્હીના આદેશ અનુસાર અને નામદાર ગુજરાત રાજય કાનુની સેવા સત્તા મંડળ, અમદાવાદના ઉપક્રમે પંચમહાલ જીલ્લા કાનુની સેવા સત્તા મંડળ ધ્વારા 11 ડિસેમ્બર-2021નાં રોજ ગોધરા જિલ્લા મુખ્ય મથકની અદાલતોની સાથે સાથે શહેરા, મોરવા(હ), કાલોલ, હાલોલ, ઘોંઘબા અને જાંબુઘોડા તાલુકા મથકોની તમામ કોર્ટોમાં નામદાર અધ્યક્ષ, જીલ્લા કાનુની સેવા સત્તા મંડળ પંચમહાલ અને પ્રિન્સીપલ ડીસ્ટ્રીકટ એન્ડ સેશન્શ કોર્ટ જિલ્લા અદાલત પંચમહાલ શ્રી જે.આર.શાહ ના અધ્યક્ષ સ્થાને નેશનલ લોક અદાલતનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં તમામ પ્રકારના સમાધાનપાત્ર પેન્ડિંગ કેસો જેવા કે ફોજદારી સમાધાન લાયક કેસો, નેગોશીએબલ ઈન્સ્યુમેન્ટ એકટ કલમ -૧૩૮ ના કેસો, બેન્ક રીકવરીના કેસો, એમ.એ.સી.ટી કેસો,મેટ્રીમોનીયલ કેસો, મજુર ડીસપ્યુટના કેસો, વીજળી અને પાણીના બીલોના કેસો(ચોરીના નોન- કંપાઉન્ડેબલ),સર્વિસ મેટરના કેસો જેમા પગાર ભથ્થા અને નિવૃતિના લાભોને લગતાં કેસો, જમીન સંપાદનના કેસો, રેવન્યુ કેસો અન્ય સીવીલ કેસો ( રેન્ટ,ઇઝમેન્ટરી રાઇટસ, ઇન્જકશન શુટ, સ્પેસીફીક પરફોમેન્સ શુટ) અને પ્રિ-લીટીગેશન કેસો વિગેરે સમાધાન અર્થે મૂકી શકાશે. નેશનલ લોક અદાલતનો વધુમાં વધુ લોકો સમાધાન થી વિવાદમુકત બને તે હેતુ થી આયોજન કરવામાં આવેલ છે. આમા સમાધાન કરવાની ઇચ્છા ધરાવતા તમામ પક્ષકારોને સંબધિત કોર્ટોનો અથવા જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, ગોધરા, ડીસ્ટ્રીકટ કોર્ટ કંપાઉન્ડ, સીવીલ અને ક્રિમીનલ કોર્ટ બિલ્ડીંગ,માળ રૂમ નંબર-૩૨૩ ખાતે સંપર્ક કરવા ચેરમેનશ્રી જિલ્લા કાનુની સેવા સત્તા મંડળ અને પ્રિન્સીપાલ ડીસ્ટ્રીકટ જજશ્રી જે.આર. શાહે એક અખબારી યાદીમાં જણાવાયું છે.