મધ્યાહન ભોજન યોજના અંતર્ગત બાળકોને ત્રણ મહિનાનાં ફૂડ એલાઉન્સની ચૂકવણી કરાશે…

ગોધરા,(પંચમહાલ) ઈશહાક રાંટા :-

71 શાળા દિવસો માટે જિલ્લા બાળકોને 8.59 કરોડની રકમ ફૂડ એલાઉન્સ પેઠે ચૂકવાશે

8652 કિલો ઘઉં અને ચોખાનું વિતરણ ચાલુ માસનાં અંત સુધી શાળામાંથી પૂર્ણ કરી દેવાશે

કોવિડ-19ના કારણે અત્યાર સુધી શૈક્ષણિક કાર્ય બંધ છે ત્યારે આ સમયગાળા દરમિયાન બાળકોની રોગ પ્રતિકારક શક્તિ જળવાઈ રહે અને બાળકો કુપોષણનો ભોગ ન બને તે માટે મધ્યાહન ભોજનના વિકલ્પ તરીકે અનાજ અને કૂકિંગ કોસ્ટની રકમ બાળકોને ફૂડ એલાઉન્સની ચૂકવણી કરવામાં આવે છે. જે અન્યવે સરકારશ્રી દ્વારા ઓગષ્ટ-2021થી ઓક્ટોબર-21 સુધીના કુલ 71 શાળાના દિવસો માટે ધોરણ-1 થી 5નાં બાળકોને પ્રતિ દિન 50 ગ્રામ ઘઉં અને 50 ગ્રામ ચોખા તથા ધોરણ-6 થી 8નાં બાળકોને પ્રતિ દિન 75 ગ્રામ ઘઉં અને 75 ગ્રામ ચોખા આપવાની તેમજ કૂકિંગ કોસ્ટ તરીકે ધોરણ 1 થી 5નાં બાળકોને દૈનિક રૂ.4.97 અને ધોરણ 6 થી 8નાં બાળકોને દૈનિક રૂ.7.47wQbNPTDJp9hMYdvogK2hAUiHsGeiybwaWe36bwtRQ3UTpYV7YuZ8FV5j9nauFCWwcjM6dTzpL5s2N79Rp5unwdMvc8ZKUસ્ટ પેઠ રૂ.352.87 અને ધોરણ 6 થી 8માં લાભાર્થી દીઠ રૂ.528.95 લેખે લાભાર્થી બાળકોના બેન્ક એકાઉન્ટમાં જમા કરવામાં આવશે. ધોરણ1 થી 5નાં 1,33,195 બાળકોને રૂ.470.05 લાખ અને ધોરણ-6થી 8નાં 73,686 બાળકોને 389.76 લાખ ફૂડ સિક્યુરીટી એલાઉન્સની રકમ ચૂકવવામાં આવશે. આ ઉપરાંત, 71 શાળા દિવસો માટે ધોરણ 1 થી 5માં લાભાર્થી દીઠ 3.550 કિલો ઘઉં, 3.550 કિલો ચોખા તથા ધોરણ 6 થી 8માં લાભાર્થી દીઠ 5.325 કિલો ઘઉં અને 5.325 કિલો ચોખા આપવામાં આવશે. જિલ્લામાં 8652.20 કિલો ઘઉં અને તેટલા જ કિલો ચોખાનું વિતરણ ચાલુ માસના અંત સુધી શાળામાંથી પૂર્ણ કરી દેવાશે તેમ મધ્યાહન ભોજન યોજના નાયબ કલેક્ટરશ્રીની એક અખબારી યાદીમાં જણાવાયું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here