નસવાડી,(છોટાઉદેપુર) જાવેદ એન કુરેશી :-
આજ રોજ નસવાડી નગરમાં ગાજવીજ સાથે વરસાદની પધરામણી થઈ છે જેમાં ગરમીથી કંટાળેલા લોકોએ ઠંડકનો શ્વાસ લીધો છે અને બપોર બાદ વાદળો મંડરાયા હતા અને લગભગ ચાર વાગ્યાની આસપાસ ધોધમાર વરસાદ વરસ્યો છે અને હાલ કેટલાક ખેડૂતોએ ખેતરો ચોખ્ખા કર્યા છે અને કેટલાક ખેડૂતો હજી બાકી છે અને રાતરાત સુધી ખેડૂતો ખેતરોની મરામત કરવામાં લાગેલા છે હવે મેઘરાજા એ એન્ટ્રી મારીછે તો હવે ખેડૂતો ખેતરો ઓરવાની શરૂઆત કરશે અને હાલ તો ગરમીથી કંટાળેલા લોકોએ રાહત નો શ્વાસ લીધો છે