નર્મદા જિલ્લામાં RTPCR ટેસ્ટમાં વધુ ૧ અને એન્ટીજન (રેપિડ) ટેસ્ટમાં ૬ સહિત કુલ ૭ પોઝિટિવ કેસ નોંધાયા

રાજપીપલા,(નર્મદા),આશિક પઠાણ

જિલ્લામા આજદિન સુધી RTPCR ટેસ્ટમાં ૭૪૫, એન્ટીજન (રેપિડ) ટેસ્ટમાં ૭૨૪ અને ટ્રુ નેટ (True nat) ટેસ્ટમાં ૫૩ દરદીઓ સહિત પોઝિટિવ દરદીઓની કુલ સંખ્યા ૧૫૨૨ થઈ

રાજપીપલાની કોવિડ કેર સેન્ટરમાંથી સાજા થયેલા ૧૨ દરદીઓને આજે રજા અપાઈ

રાજપીપલાની કોવિડ હોસ્પિટલ ખાતે આજની સ્થિતિએ ૧૩ દરદીઓ, કોવીડ કેર સેન્ટર ખાતે ૧૩ દરદીઓ, હોમ આઇસોલેશનમા ૫૭ દરદીઓ અને વડોદરા ખાતે ૬ દરદીઓ
સહિત કુલ-૮૯ દરદીઓ સારવાર હેઠળ

જિલ્લામાં આરોગ્ય ટૂકડીઓ દ્વારા આજે ૪૨,૪૪૧ વ્યક્તિઓનું કરાયેલું ડોર-ટુ-ડોર સર્વેક્ષણ: ૬૦ જેટલાં જરૂરીયાતવાળા દરદીઓને અપાયેલી સારવાર

COVID-19 મહામારીને અનુલક્ષીને નર્મદા જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગના એપીડેમીક મેડિકલ ઓફિસરશ્રી ડૉ. આર.એસ.કશ્યપ તરફથી આજે તા. ૨૮ મી નવેમ્બર, ૨૦૨૦ ના રોજ સાંજે ૫:૦૦ કલાકે પ્રાપ્ત થયેલી જાણકારી મુજબ આજે કોરોના વાયરસના જિલ્લામાં આજે RTPCR ટેસ્ટમાં વધુ ૧ અને એન્ટીજન (રેપિડ) ટેસ્ટમાં ૬ સહિત કુલ ૭ પોઝિટિવ કેસ નોંધાયા છે. આમ, જિલ્લામાં આજદિન સુધી RTPCR ટેસ્ટમાં ૭૪૫, એન્ટીજન (રેપિડ) ટેસ્ટમાં ૭૨૪ અને ટ્રુ નેટ (True nat) ટેસ્ટમાં ૫૩ દરદીઓ સહિત જિલ્લામા પોઝિટિવ દરદીઓની કુલ સંખ્યા ૧૫૨૨ નોંધાવા પામી છે.

રાજપીપલાના કોવીડ કેર સેન્ટરમાંથી સાજા થયેલા ૧૨ દરદીઓને આજે રજા અપાતા, જિલ્લામાં આજદિન સુધી કોવીડ હોસ્પિટલમાંથી સાજા થયેલા ૬૨૦ દરદીઓ, કોવીડ કેર સેન્ટરમાંથી સાજા થયેલા ૮૧૦ દરદીઓ સહિત કુલ-૧૪૩૦ દરદીઓને રજા આપવામાં આવી છે. આમ, હોમ આઇસોલેશનમા ૫૭ દરદીઓ ઉપરાંત રાજપીપલાની કોવિડ હોસ્પિટલ ખાતે આજની સ્થિતિએ હવે ૧૩ દરદીઓ, કોવીડ કેર સેન્ટર ખાતે ૧૩ દરદીઓ અને વડોદરા ખાતે ૬ દરદીઓ સહિત કુલ-૮૯ દરદીઓ સારવાર હેઠળ છે.

આજદિન સુધીમાં કોરોના પોઝિટિવ ૩ દરદીઓના મૃત્યુ નોધાયેલ છે.

આજે RTPCR ટેસ્ટમાં ૪૨, ટ્રુ નેટ (True nat) ટેસ્ટમાં ૩ અને એન્ટીજન (રેપિડ) ટેસ્ટમાં ૩૪૮ સહિત કુલ-૩૯૩ ટેસ્ટ સેમ્પલ ચકાસણી માટે એકત્ર કરાયેલ છે.

પ્રાપ્ત થયેલ અહેવાલ મુજબ નર્મદા જિલ્લામાં આજે તા. ૨૮ મી નવેમ્બર, ૨૦૨૦ ના રોજ આરોગ્ય ટૂકડીઓ દ્વારા કુલ-૪૨,૪૪૧ વ્યક્તિઓનું ડોર-ટુ-ડોર સર્વે કરવામાં આવ્યું છે, જેમાં શરદી-ખાંસીના ૧૯ દરદીઓ, તાવના ૧૭ દરદીઓ, ઝાડાના ૨૪ દરદીઓ સહિત કુલ-૬૦ જેટલા દરદીઓ ઉકત ચકાસણી દરમિયાન મળી આવતાં આ દરદીઓને જરૂરી સારવાર પુરી પાડવામાં આવી છે. તેની સાથોસાથ આયુર્વેદિક ઉકાળાનો આજદિન સુધી ૯,૯૨,૨૬૪ લોકોએ લાભ લીધો હતો અને હોમિયોપેથી રક્ષણાત્મક ઉપાય તરીકે આર્સેનિક આલ્બમ-૩૦ પોટેન્સી ગોળી ૭,૯૩,૭૬૯ લોકોને વિતરણ કરાઇ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here