નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે કાલોલ ખાતે જિલ્લા કક્ષાનો સેવા પખવાળા કાર્યક્રમ યોજાયો

કાલોલ, (પંચમહાલ) મુસ્તુફા મીરઝા :-

કાલોલ નગરપાલિકા પાસે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે સેવા પખવાળા કાર્યક્રમનું આયોજન ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવ્યું હતું મોદીજીના જન્મદિવસ નિમિત્તે તેઓના દીર્ઘાયુ માટે પ્રાર્થના કરી હતી. ૧૭ સપ્ટેમ્બર થી બીજી ઓક્ટોબર સુધી આ કાર્યક્રમ ખુલ્લો મુકાયો છે. સેવા પખવાળા કાર્યક્રમમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જીવનના મહત્વના પ્રસંગો ની ઝાંખી મૂકવામાં આવી છે તેમજ દેશ વિદેશના લેખકો દ્વારા મોદીજીના જીવન અંગે લખવામાં આવેલ બુક પણ કરવામાં આવી છે પ્રદર્શન જોયા બાદ મોદીજીના જીવન વિશે પોતાનો અભિપ્રાય આપવા માટે પ્રદર્શનાર્થી દ્વારા ડિજિટલ બુકમાં પોતાના પ્રતિભાવ લખી સહી કરવા માટેની બુક પણ મૂકવામાં આવી છે કલોલ ખાતે મોદીજીના જન્મદિવસ નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પ પણ યોજવામાં આવ્યો હતો જેમાં ૧૫ યુનિટ બ્લડ એકત્ર કરાયું હતું સમગ્ર પંચમહાલ જિલ્લામાં આ કાર્યક્રમના સંયોજક ભાજપના જિલ્લા ઉપાધ્યક્ષ ડોક્ટરે યોગેશ પંડ્યા, જિલ્લા પ્રમુખ અશ્વિનભાઈ પટેલ તાલુકા ભાજપ પ્રમુખ નરેન્દ્ર ગોહિલ,તેમજ મહામંત્રી કુલદીપસિંહ સોલંકી આ ઉપરાંત મધ્યપ્રદેશ થી ખાસ પધારેલા વિસ્તારક અને કાલોલ વિધાનસભા વિસ્તારના સંયોજક મુકેશ પટેલ તથા કાલોલના ધારાસભ્ય સુમનબેન ચૌહાણ નગરપાલિકા પ્રમુખ શૈફાલી ઉપાધ્યાય, શહેર પ્રમુખ ગૌરાંગભાઈ દરજી, વનરાજસિંહ ગોહીલ, મીનાક્ષીબેન પંડયા ગીર્વતસિંહ તેમજ નગરપાલિકાના વિવિધ હોદ્દેદારો શહેર અને તાલુકાના વિવિધ હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here