ધોરાજી,(રાજકોટ) રાજુભાઇ બગડા :-
ધોરાજી નગર પાલિકા દ્વારા ભૂગર્ભ ગટર વેરો અને સફાઈ વેરો નો વધારો કરવામાં આવ્યુ છેઃ જેથી લોકો મા રોષ ની લાગણી જોવા મળી છેઃ ઘણા વેપારી ઓને દુકાન મા પણ ભૂંગળા વેરો આવતા ભારેઆશ્ચર્ય સર્જાયું છેઃ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ શહેરીજનો દ્રારા આગામી દિવસો મા આંદોલન ના મંડાણ દેખાઈ રહ્યા છે. હાલ કોરોના જેવા ભયંકર રોગ ના લીધે લોકડાઉન લાગેલ હતુ જેથી ઘણા બેરોજગાર થઈ ગયેલ છે. ધંધા મા વેપારીઓ ભયંકર મંદી નો સામનો કરી રહ્યા છે ત્યારે વેરા મા જે વધારો થયો છે તે પાછો લેવા લોક માંગણી ઉઠવા પામી છે.